આવતી કાલે લોકસભા ચૂંટણીને લઇને 23 એપ્રિલનાં રોજ 14 રાજ્યોમાં 115 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાવા જઇ રહ્યું છે. ત્યારે ગુજરાતની તમામે તમામ 26 લોકસભા બેઠકો પર આ મતદાન યોજાવા જઇ રહ્યું છે. જેમાં આ મતદાન દરમિયાન અનેક દિગ્ગજ નેતાઓ પણ મતદાન કરવા માટે ગુજરાતમાં પ્રસ્થાપન કરશે.
આ દિગ્ગજ નેતાઓની જો વાત કરીએ તો તેમાં આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ પોતે આવતી કાલનાં રોજ અમદાવાદમાં સવારનાં 7:30 વાગ્યે શહેરનાં રાણીપ વિસ્તારની નિશાન હાઇસ્કૂલનાં મતદાન મથકે મતદાન કરશે. ઉપરાંત ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરનાં ઉમેદવાર એવાં અમિત શાહ સવારનાં 9:00 વાગ્યે નારણપુરા ખાતે કોર્પોરેશનની સબ ઝોનલ ઓફિસ ખાતે બુથ નં. 42માં પોતાનું મતદાન કરશે.