ગાંધીનગરઃ મોદી લહેર પર લોકસભાની ચૂંટણી જીતેલા 13 સાંસદોને આવનારી ચૂંટણીમાં ઝટકો લાગી શકે છે. કારણકે 13 સાંસદો એવા છે જેઓ ઉંમર વિવાદ અને કામગીરીને લઇને ભાજપના ગ્રાફમાં ફિટ થતાં નથી.
વીટીવીને રાજકીય સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી આવનારી ચૂંટણી લગભગ નહીં લડે. તેમના સ્થાને ગાંધીનગર બેઠક પરથી નવો ચહેરો ઉતારવામાં આવશે.
તો કચ્છ પાટણ મહેસાણાના ઉમેદવારોને પણ બદલવામાં આવશે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાની કામગીરી નબળી છે. તો પાટણના સાંસદ લીલાધર વાઘેલાના પાર્ટી વિરોધી વલણના કારણે ટિકિટ કપાઇ શકે છે. તો અમદાવાદના સાંસદ કિરીટ સોલંકીને પણ એન્ટી ઇન્કમબન્સી નડવાનો ડર છે. સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરા કેટલાક વિવાદમાં ફસાયા છે.
પોરબંદરના સાંસદની તબિયત સારી ન હોવાના કારણે નવા ચહેરાને પ્રધાન્ય આપવામાં આવશે. અમરેલીમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સારુ પ્રદર્શન ન કર્યું. એટલે હવે ત્યાંના સાંસદ નારણ કાછડિયાને લગભગ રિપિટ
કરવામાં નહી આવે.
તો ભાવનગર પંચમહાલ અને આણંદમાં પણ ભાજપ નવા ચહેરાને ચૂંટણી મેદાને ઉતારી શકે છે. જ્યારે છોટા ઉદેપુરમાં રામસિંહ રાઠવા પાર્ટી સાથે તાલમેલ ધરાવતા ન હોવાના કારણે ટિકિટ કપાઇ શકે છે. તો બારડોલીમાં
પણ પરભુ વસાવાના કારણે પાર્ટી ઉમેદવાર બદલવા માગે છે.
ભાજપના 7 સાંસદોની ઉમેદવારી પર સંકટ
ભાજપના વધુ સાત સાંસદો આવે છે જેમની ઉમેદવારી પર ખતરો છે. સુરત નવસારી વલસાડના સાંસદોને રિપીટ કરવા કે નહી તેના પર હાઇકમાન્ડ મંથન કરશે. તો વડોદરામાં પણ નવા ઉમેદવારને પ્રધાન્ય આપવામાં
આવી શકે છે. ખેડામાં કોંગ્રેસ મજબુત થઇ રહી છે. એટલે દેવુસિંહ ચૌહાણની ટિકિટ પર ખતરો છે. પરંતુ ટિકિટ મળવાની સંભાવનાને પણ નકારી શકાય નહીં.
તો ભરૂચમાં મનસુખ વસાવાના વિવાદના કારણે ચર્ચામાં રહે છે. જ્યારે જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને પણ એન્ટી ઇન્કમબન્સી નડી શકે છે. એટલે આ સાત બેઠકો પર ભાજપ મંથ કરશે.
ખુરશી જવાનો ભય
બેઠક- સુરત
સાંસદ- દર્શના જરદોશ
કારણ- ઉમેદવાર સારા પાટીદાર આંદોલનની અસર
બેઠક- નવસારી
સાંસદ- સી.આર.પાટીલ
કારણ- સ્થાનિક કક્ષાએ વિરોધ પાણી-GSTના કારણે લોકોમાં નારાજગી
બેઠક- વલસાડ
સાંસદ- કે.સી.પટેલ
કારણ- નબળી કામગીરીના કારણે હાઇકમાન્ડ નારાજ
બેઠક- વડોદરા
સાંસદ- રંજનબેન ભટ્ટ
કારણ- પક્ષ નવા ઉમેદવારને આપશે પ્રાધાન્ય