ભાજપે શનિવારનાં રોજ ગઇ કાલે લોકસભા ચૂંટણી 2019 માટે 46 ઉમેદવારોનાં નામ સાથે પોતાની પાંચમી યાદી જાહેર કરી હતી. જે પી નડ્ડાએ 6 રાજ્યોની 46 બેઠકોની પાંચમી યાદી જાહેર કરતાં તેમાં સાથે ગુજરાતની પણ 15 સીટો પર ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. સાથે સાથે ગુજરાતની વિધાનસભાની પેટા-ચૂંટણીનાં 3 ઉમેદવારોનાં નામ પણ જાહેર કર્યા હતાં.
ત્યારે મહત્વનું છે કે ભાજપે જે-જે લોકોનાં નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તેમાંનાં કેટલાંક ઉમેદવારોનાં સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવાં મળે છે. જેમ કે નવસારીનાં ભાજપ ઉમેદવાર સી.આર પાટીલે લોકસંપર્ક અભિયાનની શરૂઆત કરી દીધી છે.
પોતાનાં નિવાસસ્થાનેથી સી.આર.પાટીલે લોકસંપર્ક અભિયાન શરૂ કરી દીધું છે. સી.આર.પાટીલ ભાજપ ઉમેદવાર જાહેર થતાં તેમનાં સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવાં મળી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો સાથે મળીને સી.આર.પાટીલે લોકસંપર્ક સાધ્યો છે.
બીજી બાજુ રાજકોટથી મોહન કુંડારિયાને પણ ટિકિટ મળતાં સમર્થકોમાં ખુશીનો માહોલ જોવાં મળ્યો છે. મોહન કુંડારિયાનું ભાજપ કાર્યાલય ખાતે ઘનસુખ ભંડેરી સહિતનાં આગેવાનોએ સ્વાગત કર્યું. ફાટકડા ફોડીને ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.
ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે મોહન કુંડારિયાએ કહ્યું કે, હું કોંગ્રેસનાં કોઇ પણ ઉમેદવાર સાથે લડવા માટે તૈયાર છું. તો 3 લાખથી વધારે મતોથી વિજય બનશે તેવો પણ વિશ્વાસ સાથે સાથે વ્યક્ત કર્યો હતો.
લોકસભાની ચૂંટણીની બેઠકો માટે ભાજપે નવા નામ જાહેર કર્યા હતાં. જેમાં ખેડાનાં દેવુસિંહ ચૌહાણ પર પણ ફરી એક વખત ભાજપે વિશ્વાસ મૂક્યો છે. જેનાં કારણે દેવુસિંહ ચૌહાણનાં કાર્યકરોમાં પણ ઉત્સાહ અને આનંદનો માહોલ ફેલાયો છે. ત્યારે દેવુસિંહ ચૌહાણે પક્ષનો આભાર માનીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
તેવી જ રીતે સાબરકાંઠાનાં સાંસદ પર પણ ફરી વાર પસંદગી ઉતારવામાં આવી છે. સાબરકાંઠાનાં સાંસદ દિપસિંહ રાઠોડને ભાજપમાંથી લોકસભાની ટિકિટ મળતાં જ તેમનાં કાર્યકરોમાં પણ આનંદની લાગણી ફેલાઈ ગઇ છે. દિપસિંહ રાઠોડે પણ પોતાની આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી.
ઉલ્લેખનીય છે કે ભાજપે જે 46 ઉમેદવારોની યાદી બહાર પાડી તેમાં જોઇએ તો ગુજરાતની કુલ 16 બેઠકોનાં જે નામ જાહેર થયાં છે તેમાંથી 14 બેઠકોનાં નામ તો રિપીટ કર્યા છે અને 2નાં પત્તાં કપાયાં છે. ગુજરાત ભાજપે પોતાનાં 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાંથી 14 સાંસદનો ફરી એક વાર કિસ્મત અજમાવવાનો મોકો ભાજપે આપ્યો છે.
Bharatiya Janata Party (BJP) releases another list of candidates for the upcoming Lok Sabha elections. Candidates for the legislative assembly (3 each for Gujarat and Goa) bye-polls also announced. pic.twitter.com/GUQRX23Fto
એટલે 14 સાંસદોને પોતાની બેઠક પરથી જ રીપિટ કરાયાં છે. જેમાં વડોદરાથી રંજન ભટ્ટ, અમદાવાદ પશ્ચિમમાંથી-કિરીટ સોલંકી, ભાવનગરથી ડૉ. ભારતીબેન શિયાળ, રાજકોટથી મોહન કુંડારિયા, અમરેલીથી નારણ કાછડિયા, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, સાબરકાંઠાથી દિપસિંહ રાઠોડ, વલસાડથી કે.સી.પટેલ, નવસારીથી સી.આર.પાટીલ, કચ્છથી વિનોદ ચાવડા, દાહોદથી જશવંતસિંહ ભાભોર, જામનગરથી પુનમ માડમ, ભરૂચથી મનસુખ વસાવા, બારડોલીથી પ્રભુભાઈ વસાવાને રિપીટ કરાયાં છે.
ગુજરાત ભાજપે પોતાનાં 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાંથી 14 સાંસદનો ફરી એક વાર કિસ્મત અજમાવવાનો મોકો ભાજપે આપ્યો છે. એટલે 14 સાંસદોને પોતાની બેઠક પરથી જ રીપિટ કરાયાં છે. જેમાં વડોદરાથી રંજન ભટ્ટ, અમદાવાદ પશ્ચિમમાંથી-કિરીટ સોલંકી, ભાવનગરથી ડૉ. ભારતીબેન શિયાળ, રાજકોટથી મોહન કુંડારિયા, અમરેલીથી નારણ કાછડિયા, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, સાબરકાંઠાથી દિપસિંહ રાઠોડ, વલસાડથી કે.સી.પટેલ, નવસારીથી સી.આર.પાટીલ, કચ્છથી વિનોદ ચાવડા, દાહોદથી જશવંતસિંહ ભાભોર, જામનગરથી પુનમ માડમ, ભરૂચથી મનસુખ વસાવા, બારડોલીથી પ્રભુભાઈ વસાવાને રિપીટ કરાયાં છે.
એટલે કે, આ તમામ સાંસદો પર ભાજપે ફરી એક વાર ભરોસો મુક્યો છે. પરંતુ બે સાંસદોનાં પત્તા કપાયાં પણ છે. જેમાં સુરેન્દ્રનગર બેઠક પરથી દવજી ફતેપરાની જગ્યાએ મહેન્દ્ર મુંજપરા અને ગાંધીનગર બેઠક પરથી એલ.કે.અડવાણીની જગ્યાએ અમિત શાહ ચૂંટણી લડશે.
જો કે હજુ ગુજરાતની હજુ 10 બેઠકો પર ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવ્યાં નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ 10 સીટો એવી છે જ્યાં ભાજપને ફટકો પડી શકે છે. ત્યારે જોવું તો એ રહેશે કે, આ બેઠકો પર ભાજપ કોનાં નામ પર મહોર લગાવે છે. બીજી બાજુ સાથે સાથે ગુજરાતની વિધાનસભાની પેટા-ચૂંટણીનાં 3 ઉમેદવારોનાં નામ પણ જાહેર કર્યા હતાં.