ચૂંટણી લડવા સમયે તમામ ઉમેદવારોને પોતાનાં ગુનાકીય રેકોર્ડ ચૂંટણી આયોગને આપવાનો હોય છે. લોકસભા ચૂંટણી 2019માં એક એવાં રાજનેતા પણ ચૂંટણી લડી રહેલ છે કે જેનાં ઉપર 10-20 નહીં પરંતુ 242 ગુનાકીય કેસો દાખલ છે. જેમાંથી 222 પ્રકરણ તો માત્ર 2 દિવસમાં જ દાખલ કરાયાં હતાં.
લોકસભા ચૂંટણી 2019માં કેરલની પતનમથિટ્ટા લોકસભા સીટથી બીજેપીનાં ઉમેદવાર સુરેંદ્રન ચૂંટણી લડી રહ્યાં છે. અહીં 23 એપ્રિલનાં રોજ ત્રીજા ચરણમાં મતદાન થવાનું છે. સુરેંદ્રનને ટીવી અને સમાચારપત્રમાં ખુદની ઉપર દાખલ થયેલાં કેસોની જાણકારી આપી તો સામે આવ્યું કે તેઓની ઉપર તો 242 કેસ દાખલ છે. આ જાણકારી બીજેપીનાં એક સમાચારપત્રમાં તેઓએ આપવી પડી અને ટીવી પર પણ તેઓએ જાહેરાત આપવી પડી.
કેસોની જાણકારી આપવા માટે સમાચારપત્રમાં પૂરી ચાર બ્રોડશીટનો ઉપયોગ કરવો પડ્યો ત્યારે ટીવીમાં જાહેરાત આપવા માટે 60 સેકન્ડનો સમય લાગ્યો જ્યારે બીજા ઉમેદવારોને 7 સેકન્ડનો સમય લાગ્યો. જો કોઇ અન્ય ચેનલ કે સમાચારપત્રમાં આ અંગે જાહેરાત હોત તો તેની કિંમત રૂપિયા 60 લાખથી પણ વધારે હોત. તમને જણાવી દઇએ કે ચૂંટણી આયોગનાં નિર્દેશાનુસાર દરેક ઉમેદવારને ત્રણ વાર ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં પોતાનાં ગુનાકીય પ્રકરણોની જાણકરી આપવી અનિવાર્ય છે.
તમને જણાવી દઇએ કે સુરેંદ્રનનું નામ સબરીમાલા આંદોલન બાદ ચર્ચામાં આવ્યું હતું. આંદોલનનાં મુદ્દે સુરેંદ્રનને 22 દિવસ સુધી જેલમાં નાખી દેવામાં આવ્યાં હતાં. સુરેંદ્રન વિરૂદ્ધ 2 અને 3 જાન્યુઆરીનાં રોજ 222 મામલા દાખલ કરવામાં આવ્યાં કે જે તિરૂવનંતપુરમ, કાસરગોડ અને પતનમથિટ્ટા પોલીસ સ્ટેશનોમાં દાખલ કર્યા હતાં. કે. સુરેંદ્રનને ચૂંટણી આયોગને આપેલ શપથપત્રમાં પણ 164 કેસની જાણકારી આપવામાં આવી છે કે જે પેન્ડિંગ છે. એવામાં કે. સુરેંદ્રન પૂરા દેશમાં ચર્ચાનો વિષય બનેલ છે.