ભારતીય જનતા પાર્ટી (BJP) અને નરેન્દ્ર મોદી સરકાર સામે શિવસેનાએ બે મોચી માંગ કરી છે. શિવસેનાની આ માંગ એનડીએમાં બીજી સૌથી મોટી પાર્ટી હોવાના કારણે મૂકી છે. હવે એવામાં બીજેપી અધ્યક્ષ સામે મોટો પડકાર ઉભો થઇ ગયો છે કે કેવી રીતે તેનો સામનો કરવામાં આવે?
એક રિપોર્ટ અનુસાર, શિવસેનનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અમિત શાહ પાસે નવી લોકસભામાં ડેપ્યૂટી સ્પીકર પદ શિવસેનાને આપવાની માંગ ઉઠાવી છે. ઉપરાંત મોદી સરકારના કેબિનેટમાં શિવસેનાના એકમાત્ર પ્રતિનિધિ અરવિંદ સાવંતને મોટી જવાબદારી આપવા પર ભાર મુક્યો છે. હાલ નવી સરકારમાં સાવંતને હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝ મિનિસ્ટ્રી સોપંવામાં આવ્યું છે.
સંજય રાઉતનું કહેવું છે કે બીજેપી પૂર્ણ બહુમત સાથે જીતી છે. જેની અમને ખુબ જ ખુશી છે. પરંતુ સહયોગી પાર્ટીઓનુી તાકાતનું સન્માન થવું જરુરી છે. એ માટે કેન્દ્રીય મંત્રીમંડળમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવું જોઇએ. આ માટે જલ્દી કેબિનેટમાં વિસ્તાર કરવાની જરૂર છે.
આપને જણાવીએ, શિવસેનાના આ વખતે 18 સાંસદ છે જે મોદી સરકારમાં બીજી મોટી પાર્ટી છે. બીજેપી અને શિવસેનામાં સરકારની રચના બાદ ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. અને અસ્તિત્વની લડાઇ જોવા મળી રહી છે.