કોંગ્રેસના સાંસદ અધિર રંજન ચૌધરીએ બુધવારે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના વિસ્તારો પર કબજો કરવાનો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપના તાપીર ગાઓએ આ મામલો ઉઠાવ્યો હતો.
સંસદનું શિયાળું સત્ર
અધિર રંજન ચૌધરીનો સંસદીય સત્રમાં સવાલ
રાજનાથ સિંહે આપ્યો જવાબ
અંદમાનમાં નૌસેનાએ ચીનને હાંકી કાઢ્યું. અમે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરીએ છીએ પરંતુ તેઓ ચીન પ્રત્યે નરમ વલણ કેમ છે. આ અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે આપણું સૈન્ય સંપૂર્ણ સજાગ છે અને કોઈપણ પડકારનો જવાબ આપવા સક્ષમ છે.
વાતચીત દ્વારા લાવવામાં આવે છે ઉકેલ
સંરક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે, ભારત-ચીનની બોર્ડર પર LAC ને લઇને બંન્ને રાષ્ટ્રો વચ્ચે અલગ-અલગ વિચાર પ્રવર્તે છે. ક્યારે-ક્યારેક ચીનની સેનાના જવાન આપણી તરફ આવી જાય છે ક્યારેક આપણા લોકો પણ તેમની તરફ ચાલ્યા જતા હોય છે. પરંતુ એક મિકેનિઝમ છે જેના માધ્યમ થકી અમે મામલાનું સમધાન કરીએ છીએ. સેનાના સ્થાનિક કમાન્ડરથી લઇને ઉચ્ચસ્તર પર વાતચીત દ્વારા મામલાનો ઉકેલ લાવવામાં આવે છે.
શું હતો અધીર રંજનનો સવાલ
કોંગ્રેસી સાંસદ અધીર રંજને કહ્યું કે, આપણે ઇતિહાસ બદલી શકીએ છીએ પરંતુ જીયોગ્રાફી બદલી શકતા નથી. પાકિસ્તાન વિરૂદ્ધ આપણે કડક પગલા ભરીએ છીએ. તેમની વિરૂદ્ધમાં આપણે જંગ પણ લડીએ છીએ. પાકિસ્તાનનું મદદગાર ચીન છે. ચીન આપણી વિરૂદ્ધ પાકિસ્તાનને મદદ કરે છે અને અંદમાન સુધી પોતાના જહાજ મોકલે છે.
રાજનાથ સિંહે આપ્યો જવાબ
આ પ્રશ્નનો જવાબ આપતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, સરહદ સુરક્ષાને લઇને અધીર રંજનની ચિંતા સાચી છે. તેમણે અધીર રંજન તરફ ઇશારો કરતા કહ્યું કે જેમને પડકાર આપવો જોઇએ તે તમે નથી આપી રહ્યા, અમે આપી રહ્યા છીએ. અમે સરહદ સુરક્ષા અંગે જાગૃત છીએ. ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદો છે જે પહેલાથી ચાલી રહ્યા છે. રાજનાથ બોલી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના સાંસદોએ હંગામો મચાવ્યો હતો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાંસદોને રોકતા રહ્યા.