પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારના પ્રશ્ચિમ બંગાળના બાલુરઘાટમાં જનસભા કરી. તેઓએ કહ્યુ કે, ''પહેલા અને બીજા તબક્કામાં થયેલા વોટિંગે સ્પીડબ્રેકર દીદીની ઉંઘ ઉડાડી દીધી છે. દીદી, જો પુરાવા શોધવા જાય છો તો ચિટફંડ કૌભાંડ અને ઘૂસણખોરીના પુરાવાઓ શોધો, સૈનિકોની વીરતાના પુરાવાઓ શોધવાનું બંધ કરો.'' મોદી આજે ઉત્તરપ્રદેશમાં એટા, બરેલી અને બિહારના ફારબિસગંજમાં રેલી કરશે. યુપીમાં મોદીની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક નેતા સામેલ થશે.
23 મે પછી દીદી વિકાસ અટકાવવાનો પરિણામો સમજશે:
મોદીએ કહ્યું, આખો દેશ કહી રહ્યો છે કે, ''પશ્ચિમ બંગાળમાં કંઇક મોટું થવાનું છે. સ્પીડબ્રેકર દીદીને હવે 23 મે બાદ સમજાઇ જશે કે જનતાની સાથે ગુંડાગર્દી કરવા, તેમના પૈસા લૂંટવા અને વિકાસ અટકાવવાનું પરિણામ શું આવે છે. હું મીડિયામાં જોઇ રહ્યો હતો કે, કેવી રીતે સામાન્ય લોકોએ અમારી બહેનોએ ટીએમસીના ગુંડાઓને સબક શિખવ્યો. તેઓની ધમકી છતાં ખેડૂતો, મજૂર, વેપારી, માતા-બહેનો અને નવયુવાનો વોટ આપવા નિકળી પડ્યા. બંગાળના પહેલા અને બીજા ચરણમાં મતદાનનો જે રિપોર્ટ આવ્યો છે તેણે સ્પીડ બ્રેકર દીદીની ઉંઘ પર લગામ લગાવી દીધી છે. આ ગભરામણમાં જ કેવા પ્રકારના જઘન્ય અપરાધ થઇ રહ્યા છે, તે પણ દેશ જોઇ રહ્યો છે. પુરૂલિયામાં અમારાં એક કાર્યકર્તાની હત્યા કરવામાં આવી.''
મમતાએ મા, માટી અને માણસાઇના નામે છેતરપિંડી કરી:
પ્રધાનમંત્રીએ કહ્યું, તમે મમતા દીદી પર ઘણો ભરોસો કર્યો, પરંતુ તેઓએ તમારી માતા, માટી અને માણસાઇના નામે માત્ર છેતરપિંડી કરી. આ ભૂલ માત્ર તમે જ નહીં મેં પણ કરી છે. જ્યારે હું તેઓને ટીવી પર જોતો હતો, અથવા ક્યારેક મળતો હતો તો લાગતું હતું કે, તેઓ સાદગીની મૂર્તિ છે, બંગાળનું ભલું ઇચ્છે છે. લેફ્ટિસ્ટ્સથી બંગાળની મુક્તિ ઇચ્છે છે. પ્રધાનમંત્રી બન્યા બાદ જ્યારે મેં તેઓના કામ જોયા તો મારું માથું શરમથી ઝૂકી ગયું. હવે હું તેઓને ઓળખી ગયો છું અને બંગાળના તો નાના બાળકો પણ તેમની ઓળખી ગયા છે. પહેલાં ગરીબોના પરસેવાની કમાણી નારદા, સારદા અને રોજવૈલીએ લૂંટી, ત્યારબાદ દીદીએ કૌભાંડીઓને જ ધારાસભ્ય-સાંસદ બનાવી દીધી. તમારો આ ચોકીદાર પાઇ-પાઇનો હિસાબ લેશે. હવે તેઓ ગમે તેટલી તાકાત લગાવી લે, ન્યાયને અટકાવી નહીં શકે.
ગુંડાઓ માટે પૈસા, કર્મચારીઓ માટે નથી:
મોદીએ કહ્યું, જે પ્રકારે ફોઇ-ભત્રીજા મળીને પશ્ચિમ બંગાળની સંસ્કૃતિને અહીંના લોકો બદનામ કરી રહ્યા છે તે શરમજનક છે. દીદીની પાસે ગુંડાઓને આપવા માટે પૈસા છે, પરંતુ કર્મચારીઓને ડીએ આપવાના પૈસા નથી. દિલ્હીની કેન્દ્ર સરકારે સાતમું પગાર પંચ લાગુ કરી દીધું. બાજુના રાજ્ય ત્રિપુરાએ પણ ભાજપની સરકાર બનતા જ સાતમું પગાર પંચ લાગુ કરી દીધું, પરંતુ અહીં દીદી હજુ સુધી છઠ્ઠું પગાર પંચ લાગુ નથી કર્યુ. તેઓ કહે છે કે, પશ્ચિમ બંગાળનું મોડલ આખા દેશમાં લાગુ કરવાની ઇચ્છા છે.
જ્યાં ગરીબોને ગરીબ રાખવાનું ષડયંત્ર હોય છે, જ્યાં ગરીબની કમાણીને ટીએમસી નેતા લૂંટી લે છે, પૂજા કરવા અને યાત્રાઓ કાઢવી મુશ્કેલ છે, તૃષ્ટિકરણ માટે બીજાં દેશોના લોકોને બોલાવીને ચૂંટણી-પ્રચાર કરાવવામાં આવે છે. શું પહેલાં ક્યારેય આવું થયું છે કે, બીજાં દેશના વ્યક્તિ અહીં આવેની પ્રચાર કરે? આવું મોડલ દેશ તો દૂર પશ્ચિમ બંગાળ માટે પણ મંજૂર નથી. દેશને એવું વિકાસ મોડલ જોઇએ, જ્યાં બધાને સુરક્ષા અને સન્માન મળે.
એકવાર ફરીથી મોદી સરકાર બનશે:
પીએમ મોદીએ કહ્યું કે, 23 મેના ચૂંટણીના પરિણામ આવી જશે, ત્યારે વધુ એકવાર મોદી સરકાર બનશે અને ઘૂસણખોરો અટકાવવા, તેઓને ઓળખવા માટે વધુ કડક પગલાં લઇશું. બોર્ડર પર ફેન્સિંગના કામોમાં જે અવરોધો ઉભા કરી રહ્યા છે, તેઓને પણ હકીકત સમજાવી દઇશું. નાગરિકતા કાયદાને લઇને ઘણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જ્યારે દેશનું વિભાજન થયું તો મા ભારતીમાં આસ્થા રાખનારા હજારો-લાખો લોકો ત્યાં જ રહી ગયા.