પ્રશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ એક ચૂંટણી સભામાં પીએમ મોદી પર કથિત રૂપે વાંધાજનક ટિપ્પણી કરી છે. સોમવારે તેમણે એક રેલી સંબોધિત કરતા જણાવ્યુ કે, ''મોદીને સત્તા અને રાજકારણમાંથી બહાર કરવા જોઇએ અને તેમના મોઢાને ટેપથી બંધ કરી દેવુ જોઇએ.''
મમતાએ એક રેલીમાં કહ્યુ કે, મોદી પાસે ખેડૂતો અને મધ્યમ વર્ગની સમસ્યાઓ પર ધ્યાન આપવાનો સમય નહોતો, કારણ કે પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં સાડા ચાર વર્ષ તો તેઓ દુનિયામાં ફરવામાં જ વ્યસ્ત રહ્યા. જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મોદી દરેકને ડરાવી-ધમકાવી રહ્યા છે અને જૂઠ્ઠુ બોલી રહ્યા છે. જો જુઠ્ઠુ બોલવાની કોમ્પિટિશન થાય તો તેમાં પહેલુ ઇનામ મોદીને મળે.
પશ્ચિમ બંગાળના સીએમે કહ્યું હતું કે, ''આ ચૂંટણીમાં લોકો મોદીના મોઢા પર ટેપ ચોંટાડી દેશે, જેથી તેઓ જૂઠ્ઠું ના બોલી શકે. દેશને ખાતર તેમણે ન માત્ર પ્રધાનમંત્રી મોદીએ એવી ટિપ્પણી કરી હતી કે મમતા અને ટીએમસી મોદીના ભયનની માનસિકતાથી પીડિત છે, તેના પર પલટવાર કરતા મમતાએ ચેતવણી આપતા કહ્યુ હતુ કે, તેમને ધમકાવાય નહી અને આમ કરવુ સૌથી મોટી ભૂલ હશે. ''
મમતાએ કહ્યું હતું કે ,પાંચ વર્ષ દરમિયાન સાડા ચાર વર્ષ મોદી દુનિયામાં ફરતા હતા. જ્યારે દેશના ખેડૂતો આપઘાત કરી રહ્યા હતા ત્યારે તેઓ શુ કરતા હતા? જ્યારે નોટબંધીથી લોકો મરી રહ્યા હતા, કરોડો લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી ત્યારે તેઓ શું કરતા હતા?