લોકસભા ચૂંટણીના પ્રચાર માટે રાજનીતિક જંગ હવે ચરમસીમાએ પહોંચી ગઇ છે. સમાજવાદી પાર્ટીના સીનિયર અને રામપુરથી ઉમેદવાર આઝમ ખાનના નિવેદન પર વિવાદ વધી રહ્યો છે. પહેલાં મહિલા આયોગે આઝમ ખાન પાસે ખુલાસો માંગ્યો છે અને હવે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ ટ્વિટ કરીને તેમના પર આકરા પ્રહાર કર્યા છે. સુષમા સ્વરાજે ટ્વિટર પર લખ્યું છે કે, ''મુલાયમ સિંહ મૌન રહેવાની ભૂલ ન કરે.''
સુષમા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યુ કે, ''મુલાયમ ભાઇ , તમે સમાજવાદી પાર્ટીના પિતામહ છે. તમારી સામે રામપુરમાં દ્રોપદીનું ચિરહરણ થઇ રહ્યુ છે અને તમે ભીષ્મને જેમ મૌન રહેવાની ભૂલ ના કરો.'' સુષમા સ્વરાજે પોતાના ટ્વીટમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તેમની પત્ની ડિમ્પલ યાદવ અને જયા બચ્ચનને પણ ટેગ કર્યા છે.
मुलायम भाई - आप पितामह हैं समाजवादी पार्टी के. आपके सामने रामपुर में द्रौपदी का चीर हरण हो रहा हैं. आप भीष्म की तरह मौन साधने की गलती मत करिये. @yadavakhilesh Smt.Jaya Bhaduri, Mrs.Dimple Yadav.pic.twitter.com/FNO5fM4Hkc
— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) April 15, 2019
શું બોલ્યા હતા આજઝ ખાન?
રામપુરમાં પોતાના સંબોધન દરમિયાન આઝમ ખાને નામ લીધા વગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જયા પ્રદા પર આકરા પ્રહાર કર્યા હતા. આઝમ ખાને કહ્યું હતું કે, ''જેને અમે આંગળી પકડીને રામપુર લાવ્યા, તમે 10 વર્ષ જેમને પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો... તેમની વાસ્તવિકતા જાણવામાં તમને 17 વર્ષ લાગ્યા. હું 17 દિવસમાં જ ઓળખી ગયો હતો કે તેમની અંડરવેર ખાખી રંગની છે.''
પછી કરી સ્પષ્ટતા:
જોકે આ નિવેદનથી વિવાદ વધતા આઝમ ખાને ખુલાસો કર્યો છે કે, તેમણે તેમના સંબોધનમાં કોઈનું નામ નથી લીધું. જો કોઈ તે સાબીત કરી દે કે તેમણે કોઈનું નામ લઈને જ પ્રહાર કર્યા છે તો તેઓ ચૂંટણી નહીં લડે.
પહેલાં પણ થતા હતા આક્ષેપ-પ્રતિ આક્ષેપ:
સમાજવાદી પાર્ટીના નેતાના આ નિવેદનની દરેક બાજુ નિંદા થઈ રહી છે. રાષ્ટ્રીય મહિલા આયોગ પણ સમાજવાદી પાર્ટીને આ મામલે નોટિસ મોકલવાનું વિચારી રહ્યા છે. નોંધનીય છે કે, આઝમ ખાન અને જયા પ્રદામાં ઘણાં સમયથી આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે. આ પહેલાં જયા પ્રદાએ આરોપ લગાવ્યો હતો કે, જેને અમે ભાઈ કહેતા હતા તે મને નાચવાવાળી કહી રહ્યા છે.