દેશની સૌથી વધુ હાઇપ્રોફાઇલ બેઠક એવી ભોપાલ બેઠક પરથી કોંગ્રેસના દિગ્વિજય સિંહનો પરાજય થયો છે અને ભાજપના પ્રજ્ઞા ઠાકુરની જીત થઈ છે, ત્યારે દિગ્વિજય સિંહે પ્રજ્ઞા ઠાકુરને શુભકામના પાઠવી હતી.
તો સાધ્વીના ગોડસેવાળા નિવેદનને લઈને નિશાન સાધતા દિગ્વિજય સિંહે જણાવ્યું કે, દેશમાં ગોડસેની વિચારધારાવાળા લોકો સંસદમાં પહોંચ્યા છે અને ગાંધીની વિચારધારાની હાર થઈ છે. જે દુખની બાબત છે.
મને વ્યક્તિગત આ વાતનું દુખ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભોપાલથી ભલે હું ચૂંટણી હારી ચુક્યો છું. પરંતુ મે ભોપાલની જનતાને વ્યક્તિગત રીતે કરેલા વાયદાઓ નિભાવવા પ્રયત્નશીલ રહીશ.
Senior Congress leader Digvijaya Singh who lost to BJP's Pragya Singh Thakur from Bhopal LS constituency: Today in this country, the ideology of the killer of Mahatma Gandhi won and the ideology of Gandhi lost. This is a cause of concern for me. pic.twitter.com/MSV5rDtX1m
ઉલ્લેખનીય છે કે, આશરે દોઢ મહિના સુધી ચાલેલ ચૂંટણી પ્રક્રિયા બાદ ગઇકાલે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાં હતા. આ પરિણામોમાં શરૂઆતથી જ ભાજપનો દબદબો જોવા મળ્યો તો વળી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ હારનો સામનો પણ કરવો પડ્યો.
ત્યાર દેશની હાઇ પ્રોફાઇલ ગણાતી ભોપાલ બેઠક પર કોંગ્રેસના પીઢ નેતા દિગ્વિજય સિંહની કારમી હાર થઈ હતી, જો કે, આજરોજ તેમણે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે એક નિવેદન આપતા કહ્યું કે, પ્રજ્ઞા ઠાકુરને શુભકામનાઓ, દેશમાં ગોડસેની વિચારધારાવાળા લોકો સંસદમાં પહોંચ્યા છે અને ગાંધીની વિચારધારાની હાર થઈ છે. જે દુખની બાબત છે.