વડપ્રધાન મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ચૂંટણી પંચની રડારમાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બસપાના સુપ્રીમો માયાવતી, સુલ્તાનપુરથી ભાજપના ઉમેદવાર મેનકા ગાંધી અને રામપુરથી સપાના ઉમેદવાર આઝમ ખાન બાદ ચૂંટણી આયોગ વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.
દિલ્હી: વડપ્રધાન મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ચૂંટણી પંચની રડારમાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બસપાના સુપ્રીમો માયાવતી, સુલ્તાનપુરથી ભાજપના ઉમેદવાર મેનકા ગાંધી અને રામપુરથી સપાના ઉમેદવાર આઝમ ખાન બાદ ચૂંટણી આયોગ વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.
ચૂંટણી આયોગ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તે નિેવેદનને લઇને ગંભીર છે જેમાં પુલવામાં અને બાલાકોટના નામ પર પહેલી વખત મતદાતાઓ પાસેથી ભાજપને મત આપવાની અપીલ કરી હતી.
આ મામલે મહારાષ્ટ્ર ચૂંટણી આયોગના રિપોર્ટમાં આચાર સંહિતાના ઉલ્લંઘનની વાત કરવામાં આવી છે. આ રિપોર્ટ ચૂંટણી આયોગને મોકલવામાં આવી છે અને આ મામલે ચૂંટણી પંચ ટૂંક સમયમાં નિર્ણય લેશે.
તો આ તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાફેલ મામલામાં જુઠ્ઠાણું ફેલાવવા વાળી ફરિયાદને લઇને ચૂંટણી પંચે સખ્ત કાર્યવાહી કરવાના સંદેશ આપ્યા છે. આ મામલે જણાવવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી પંચ રાહુલ ગાંધી સામે સખ્ત કાર્યવાહી કરી શકે છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધી પોતાના ચૂંટણી ભાષણમાં નરેન્દ્ર મોદીને રાફેલ મામલે 'ચોકીદાર ચોર છે' કહીને ઘેરી રહ્યા છે.