પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રના અહમદનગરમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરી. કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યુ કે, ''રિમોટ ચલાવતી સરકારમાં દરેક દિવસે કૌભાંડ થયા હતા, હવે તમારે નક્કી કરવાનુ છે કે, તમારે ઇમાનદાર ચોકીદાર જોઇએ છે કે ભષ્ટ્રાચારી નામદાર. આ સાથે જ જનતાને કોંગ્રેસ હંમેશા માટે હટાવવા માટે અપીલ કરી. કહ્યુ કે, ''કોંગ્રેસ હટાઓ, ત્યારે જ દેશની ગરીબી દૂર થશે, કોંગ્રેટ હટાવો, ત્યારે જ દેશમાંથી ભષ્ટ્રાચાર અને કૌભાડ ખત્મ થશે, કોંગ્રેસ હટાવો, ત્યારે જ વિકાસ થશે.'' નરેન્દ્ર મોદી આજે કેરલ અને કર્ણાટકમાં પણ રેલી કરશે.
Maharashtra supports development agenda of NDA. Speaking in Ahmednagar. https://t.co/gZbc1mxsGo
— Chowkidar Narendra Modi (@narendramodi) April 12, 2019
આતંકીઓ હવે ડરવા લાગ્યા છે:
મોદીએ કહ્યું કે, ''દુનિયાએ ભારતમાં છેલ્લા 5 વર્ષમાં જનભાગીદારીથી ચાલતી એક મજબૂત નિર્ણય લઈ શકે તેવી સરકાર જોઈ છે. તે પહેલાં 10 વર્ષ સુધી રિમોટથી ચાલતી સરકારમાં રોજ કોઈક નવા કૌભાંડ થતા હતા. આજે દુનિયા ભારતને મહાશક્તિના સ્વરૂપમાં જોઈ રહી છે.''
''તમારે નક્કી કરવાનું છે કે, ઈમાનદાર ચોકીદાર ચાલશે કે ભ્રષ્ટાચારી નામદાર. હિન્દુસ્તાનના હીરો ચાલશે કે પાકિસ્તાનની ભલામણ કરતાં લોકો. આ ચોકીદાર તેમને પાતાળમાંથી પણ શોધી કાઢસે અને તેમને સજા આપશે. આ ચોકીદારથી આતંકીઓમાં ડર પેસી ગયો છે કે તેમની એક ભૂલ પણ તેમને ભારે પડશે.''
NCPની મહામિલાવટ અને NDAના બુલંદ ઈરાદા:
કોંગ્રેસની NCP સરકારમાં ક્યારેક મુંબઈમાં બ્લાસ્ટ થયા તો ક્યારેક પુણેમાં, ક્યારેક ટ્રેનમાં અને બસોમાં બ્લાસ્ટ થતા હતા. પરંતુ છેલ્લા પાંચ વર્ષોમાં આ બ્લાસ્ટ બંધ થઈગયા છે. આજે એક તરફ કોંગ્રેસ-NCPના બોગસ વાયદાઓ છે અને બીજી બાજુ NDAના બુલંદ ઈરાદા છે. કોંગ્રેસ અને એનસીપી એવા લોકોની સાથે ઉભા છે જે કહી રહ્યા છે કે, જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરી દો અને ત્યાં અલગ પ્રધાનમંત્રી હોવા જોઈએ. મને કોંગ્રેસ પાસે કોઈ આશા નથી કારણકે આ બધી તેમની જ પેદાશ છે. પરંતુ શરદ રાવ કેમ ચૂપ છે?
'લોકોનો વિશ્વાસ અને મોટા પગલા લઇ શક્યો':
PM મોદીએ કહ્યુ કે, ''મને ખુશી છે કે એક દેશ રાષ્ટ્ર સુરક્ષા માટે એક જ સૂરમાં વાત કરી રહ્યો છે.આ વિશ્વાસ મારી તાકાત રહ્યો છે, જેના પર હું મોટા નિર્ણય લઇ શક્યો છું. જે લોકો આ વખતે પહેલી વખત વોટ કરવા જઇ રહ્યા છીએ તેમને પૂછવા ઇચ્છુ છું કે, રાષ્ટ્રીય સુરક્ષા સાથે તમે કોઇ સમજૂતી તમને મંજૂર છે? કોંગ્રેસ જમ્મૂ-કાશ્મીરની સેનાને હટાવવા વાત કરી રહી છે. કોંગ્રેસ કહી રહી છે કે સૈનિકોને મળેલો વિશેષ અધિકાર દૂર કરો. શું આ યોગ્ય છે? ગામ-ગામ રસ્તા બની રહ્યા છે, વર્ષોથી અટકેલા રેલ્વે પ્રોજેક્ટ આજે પૂરા થઇ રહ્યા છે તો આ પાછળ તમારા વોટની શક્તિ છે. આજે સ્વરોજગાર માટે કરોડો યુવાનોને ગેરેન્ટી વગર બેંકમાંથી લોન મળી રહી છે અને આ પાછળ તમારા વોટની તાકાત છે.''