વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર 'માટીવાળા રસગુલ્લા'ને લઈને નિશાન સાધ્યું હતું
વડાપ્રધાને કહ્યું કે, દીદી હું બંગાળની માટીના રસગુલ્લાની રાહ જોઇ રહ્યો છે. જેટલા પત્થર હોય મને મોકલી આપજો. PM મોદીએ કહ્યું કે, 23 મે બાદ દીદીના ધારાસભ્યો તેમનો સાથ છોડી દેવાના છે. 40 ધારાસભ્યો આજે પણ મારા સંપર્કમાં છે.
#WATCH Prime Minister Narendra Modi in Serampore, West Bengal: Didi, on 23 May when the results will come, lotus will bloom everywhere and your MLAs will leave you. Even today, didi, 40 of your MLAs are in contact with me. pic.twitter.com/XaZQ4BORwO
વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળના શ્રીરામપુરમાં કહ્યું કે, તૃણમુલ કોંગ્રેસના ગુંડાઓ મતદાન કરવાથી રોકી રહ્યા છે અને ભાજપના કાર્યકર્તાઓ પર હુમલા કરી રહ્યા છે. વડાપ્રધાન આરોપ લગાવ્યો કે, TMC, ભાજપના નેતાઓને પ્રચાર નથી કરવા દઇ રહ્યા.
આપને જણાવી દઇએ કે, મમતા બેનર્જીએ કહ્યું હતું કે, મોદી પહેલા બંગાળ નથી આવ્યા હવે ચૂંટણીમાં તેમને મત જોઇએ છે એટલે બંગાળ આવી રહ્યા છે. અમે મોદીને બંગાળના રસગુલ્લા આપીશું.