લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદોને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકારના હનનનો પ્રસ્તાવ મુક્યો છે.
રાહુલ ગાંધી સદનમાંથી વોકઆઉટ કરી ગયા હતા.
કેટલાક સાંસદોએ તેમના આદેશ પર સંસદમાં મૌન પણ રાખ્યું
રાહુલે નિયમોનું ઉલંઘન અને પ્રક્રિયાઓનું પાલન નથી કર્યું- ભાજપ
કેટલાક સાંસદોએ તેમના આદેશ પર સંસદમાં મૌન પણ રાખ્યું
ભાજપના સાંસદ સંજય જયસવાલે કહ્યું મે પહેલી વાર જોવા મળ્યું. જ્યારે સદનની અંદર એક સાંસદને તમામ સાંસદોને મૌન રાખવા માટે ઉભા થવાનો આદેશ આપ્યો છે. કેટલાક સાંસદોએ તેમના આદેશ પર સંસદમાં મૌન પણ રાખ્યું. આના પર લોકસભાને એક્શન લેવું જોઈએ. આ સદનનું અપમાન છે.
રાહુલે નિયમોનું ઉલંઘન અને પ્રક્રિયાઓનું પાલન નથી કર્યું- ભાજપ
ભાજપના સાંસદ રાકેશ સિંહે કહ્યું કે રાહુલ ગાંધીએ પરવાનગી લેવી જોઈતી હતી. તેમને વિનંતી કરવી જોઈતી હતી. રાહુલે નિયમોનું ઉલંઘન અને પ્રક્રિયાઓનું પાલન નથી કર્યું. આ સદન કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય નથી. હું માંગ કરુ છુ કે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે લોકતંત્રના મંદિરની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી છે. રાહુલ ગાંધીએ 2 મિનિટના મૌન રાખવાનો આદેશ આપ્યો. આ ચોંકાવનારું છે અને આ સહન કરી શકાય નહીં.
રાહુલનો ખેડૂતોના મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર પર હુમલો
ઉલ્લેખનીય છે કે ગુરુવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં ખેડૂતોના મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કહ્યું હતુ કે આ કાયદો સંપૂર્ણ રીતે 2 ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે લાવવામાં આવ્યો છે.
રાહુલ ગાંધી સદનમાંથી વોકઆઉટ કરી ગયા હતા
ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે બજેટ પર ટિપ્પણી નહીં કરુ. હું ફક્ત ખેડૂતોના મુદ્દા પર બોલીશ જે ખેડૂતો શહીદ થયા છે. તે લોકોને શ્રદ્ધાંજલી નથી આપવામાં આવી. હું તમામ સાંસદોને કહેવા ઈચ્છું છુ કે ભાષણ બાદ 2 મિનિટ માટે મોન રહીશ. તમે મારી સાથે જોડાઈ શકો છો. આ બાદ લોકસભાના સ્પીકરે આના પર ટિપ્પણી કરી હતી. જે બાદ રાહુલ ગાંધી સદનમાંથી વોકઆઉટ કરી ગયા હતા.