સહારનપુરઃ લોકસભા ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટી બાદ હવે મહાગઠબંધન પણ જોશમાં છે. આજે સહારનપુરનાં દેવબંદમાં 'સામાજિક ન્યાયથી મહાપરિવર્તન' મહારેલીમાં બહુજન સમાજ પાર્ટીની મુખિયા માયાવતીએ ભાજપની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા. તેઓની સાથે સમાજવાદી પાર્ટીનાં મુખિયા અખિલેશ યાદવ તથા રાષ્ટ્રીય લોકદળનાં ચૌધરી અજિત સિંહનાં નિશાને પણ ભાજપની સાથે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હતી.
દેવબંદમાં સહારનપુર-મુઝફ્ફરનગર સ્ટેટ હાઇવેનાં દેવબંદમાં કાસિમપુરા ગામનાં તિબ્બિયાં કોલેજની નજીક મેદાનમાં માયાવતીએ બરાબર પ્રહાર કર્યા. માયાવતીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે અનેક સીટોં પર એવાં ઉમેદવાર ઉભાં કર્યા કે જે ભાજપને ફાયદો પહોંચાડી રહેલ છે. તેઓએ કહ્યું કે, ચૂંટણી સમયે જ ખાટ યાત્રા યાદ આવે છે. માયાવતીએ મુસલમાનોને કહ્યું કે, આપનો વોટ વહેંચાવો ન જોઇએ. આપ તમામ લોકો ગઠબંધનને એક તરફી વોટ કરો.
સહારનપુરમાં મુસલમાનોને ખ્યાલ છે કે અહીંનાં બસપા ઉમેદવારની ટિકિટ અમે પહેલેથી જાહેર કરી દીધી હતી પરંતુ કોંગ્રેસ જાણીજોઇને ભાજપને જીતાડવા માટે મુસ્લિમ ઉમેદવાર આપ્યો. અમારા કાર્યકર્તાઓનું દરેક પોલિંગ અને સેક્ટર લેવલ પર જવાબદારી છે કે અમારો એક પણ વોટ ના વહેંચાવો જોઇએ. કોંગ્રેસે મને મળનારા વોટને વહેંચવા માટે એવાં જાતિ અને ધર્મનાં ઉમેદવારોને ટિકિટ આપેલ છે કે જેનાંથી ભાજપ જીતી જાય. તેઓએ કહ્યું કે, ચૂંટણીનાં સમયે જ ખાટ યાત્રા યાદ આવે છે.
કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, 'મુસલમાનને સાધવાનો પ્રયાસ':
માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસ એમ માનીને ચાલી રહી છે કે અમે જીતીએ કે ના જીતીએ, ગઠબંધન ના જીતવું જોઇએ, જેથી તેઓએ બીજેપીને ફાયદો પહોંચાડવા માટે ઉમેદવાર ઉતાર્યા છે. તેઓએ કહ્યું કે, હું મુસ્લિમ સમાજને કહેવા ઇચ્છું છું કે જો ભાજપને હરાવવું છે તો ભાવનાઓમાં વહીને વોટ ના વહેંચવા જોઇએ. માયાવતીએ કહ્યું કે સહારનપુરમાં મોટી સંખ્યામાં બસપાનો બેસ વોટ છે અને હવે તો જાટ ભાઇમાં સાથે આવી ગયાં છે.
તેઓએ જણાવ્યું કે પશ્ચિમ યૂપીમાં તમામ ધર્મોનાં લોકો રહે છે. સહારનપુર, મેરઠ, મુરાદાબાદ અને બરેલી મંડલમાં મુસ્લિમ સમાજની આબાદી ખૂબ વધારે છે. માયાવતીએ કહ્યું કે, હું આ ચૂંટણીમાં મુસ્લિમ સમાજનાં લોકોને સાવધાન કરવા ઇચ્છું છું કે પૂરા યૂપીમાં ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ લાયક નથી.