આજે લોક રક્ષક દળની ભરતી માટે અરજી કરવાનો અંતિમ દિવસ છે. ત્યારે ભરતી પ્રક્રિયાને લઈને ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે કહ્યું છે કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા સાથે યોજવામાં આવશે,
લોક રક્ષકની ભરતીને લઈને હસમુખ પટેલનું નિવેદન
LRD ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા સાથે થશે : હસમુખ પટેલ
LRD અને PSI બંનેમાં ફોર્મ ભર્યું હશે તેમને પહેલા બોલાવાશે
આજે લોક રક્ષક દળની ભરતી માટે અરજી કરવાનો અંતિમ દિવસ છે. ત્યારે ભરતી પ્રક્રિયાને લઈને ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે કહ્યું છે કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા સાથે યોજવામાં આવશે, મહત્વનું છે કે ઉમેદવારોએ શારીરિક કસોટી પાછી ઠેલવાની માંગ કરતા હતા એવામાં ભરતી ભોર્ડના ચેરમેને સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે શારીરિક કસોટી પાછળ લઈ જવાની વાત છોડો અને જે સમય છે તેનો સદઉપયોગ કરો,
LRD અને PSI બંનેમાં ફોર્મ ભર્યું હશે તેમને પહેલા બોલાવાશે
હસમુખ પટેલે કહ્યું કે જે લોકોએ LRD અને PSI બંનેમાં ફોર્મ ભર્યું હશે તેમને પહેલા પરીક્ષા માટે બોલાવાશે, જો કે અત્યાર સુધીમાં 9 લાખ થી વધુ અરજીઓ સ્વીકારાઈ છે. જેને 9 અને 10 ડિસેમ્બરે શારીરિક કસોટી યોજાનાર છે જે 2 મહિના સુધી ચાલશે અને 10 ફેબ્રુઆરી સુધીની આસપાસ શારીરિક કસોટી પૂર્ણ થઈ જશે જે બાદ માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં લેખિત પરીક્ષાનું લેવાશે પરીક્ષા વિલંબિત થશે તેવુ ઉમેદવારો ન માને, ઉમેદવારો પરીક્ષાની તૈયારી શરૂ કરી દે તેવું ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું છે. આજે ભરતી પરીક્ષા માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે રાત્રે 12 વાગ્યા સુધીમાં અરજી સ્વીકારવામાં આવશે તેવું પણ હસમુખ પટેલે કહ્યું છે.
ઉમેદવારોએ શારીરિક કસોટી પાછી ઠેલવા કરી માગ
મહત્વનું છે કે લોકરક્ષક દળની ભરતીને લઈને યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં સરકારી નોકરી માટે 9.70 લાખ જેટલી અરજીઓ આવી ચુકી છે. જ્યારે 9 નવેમ્બરે રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકાશે, મહત્વનું છે કે LRDમાં 10 હજાર 459 જગ્યા માટે અરજી મંગાવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીમાં 7 લાખ 65 હજાર 486 અરજીઓ કન્ફર્મ કરવામાં આવી, જોવા કરવામાં આવે તો LRDમાં કુલ 5 લાખ 56 હજાર 441 પુરુષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જ્યારે LRDમાં કુલ 2 લાખ 6 હજાર 266 મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
કમ્પ્યુટરનું સર્ટિફિકેટ નહીં ધરાવનાર કરી શકશે અરજી
અગાઉ પણ રાજ્ય સરકારના વિભાગે પોલીસ અને LRDની સીધી ભરતી માટે 15 અને 8 ગણાનો નિર્ણય બદલ્યો છે જેથી હવે શારીરિક કસોટી પાસ કરતા ઉમેદવારો સીધી લેખિત પરીક્ષામાં બેસી શકશે. ત્યારે ઉમેદવારોને સરકારે વધુ એક રાહત આપી છે. લોકરક્ષક દળની ભરતી પરીક્ષામાં હવે કોમ્યુટરનું સર્ટિફેકેટ નહી ધરાવનાર ઉમેદવાર પણ અરજી કરી શકશે, જો કે તેમણે દસ્તાવેજ ચકાસણી વખતે માન્ય સંસ્થાનું કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. મહત્વનું છે કે ધોરણ 10 અને 12માં કોમ્યુટર પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવારોને સરકાર તરફથી છુટ આપવામાં આવી છે, એટલે આવા ઉમેદવારોને સર્ટિફિકેટની કોઈ જરૂર નથી.
ધો-10 અને 12માં કમ્પ્યુટર પાસ કરનારને સર્ટિની નથી જરૂર
PSI-LRD ભરતીનો મામલે અરજીની શરૂઆત થતાં જ ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે મોટા પાયે અરજીઑ કરી રહ્યા છે સરકારી આકડા પ્રમાણે અત્યાર સુધી 1.25 લાખ જેટલી અરજીઓ મળી ચૂકી છે. મહત્વનું છે કે 9 નવેમ્બર સુધી ઓજસ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકાશે ત્યારે ઉમેદવારોને અંતિમ તારીખ સુધી રાહ ન જોવા ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા અપીલ કરવામાં આવી છે.લોકરક્ષક ભરતીની અરજી સ્વિકારવાની છેલ્લી તારીખ 9/11/21 છે. છેલ્લે સુધી રાહ જોવાને બદલે ઉમેદવારો ને શરૂઆતમાં જ અરજી કરી લેવા સલાહ છે.અત્યાર સુધી સવા લાખ જેટલી અરજી મળેલ છે.
LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ
ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે આ અંગે માહિતી આપી છે. ઉમેદવાર OJAS વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જેમાં 8476 પુરૂષ અને 1983 મહિલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. આજથી 9 નવેમ્બર સુધી ઉમેદવાર અરજી કરી શકશે. વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર અરજી થઇ શકશે.
PSI-LRD માટે અલગ અરજી કરવાની રહેશે
PSI-LRD ભરતી માટે ઓનલાઇન અરજી કરવાનું શરૂ છે. ત્યારે PSI અને LRD માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે. ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે કે, જે ઉમેદવારોએ પો.સ.ઇની ભરતી માટે ફોર્મ ભરેલ હોય અને તેઓ લોકરક્ષક માટે પણ અરજી કરવા માંગતા હોય તો તેઓ એ અલગથી અરજી કરવાની રહેશે.
કઈ વેબસાઇટ મહત્વની?
લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ: http://lrdgujarat2021.in
અરજી કરવાની વેબસાઇટ https://ojas.gujarat.gov.in
લોકો પેપર ફોડવાનું કામ કરતા હોય તો...
LRD ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું કે ભરતી વખતે અનેક અફવાઓ ચાલુ થઇ જાય છે. કેટલાક લોકો ઓળખાણની લાલચ આપતા હોય છે. ઘણી વખતે લોકો પૈસા આપી નોકરી અપાવવાની લાલચ આપે છે. કેટલાક લોકો પેપર ફોડવાનું કામ કરતા હોય છે...ઉમેદવારોએ પરીક્ષા તરફ જ ધ્યાન આપવું જોઈએ...કોઇ આવી વાત તમારા સુધી આવે તો અમને જાણ કરજો. ઉમેદવારોએ નવી ભરતીની તૈયારીઓ કરવી જોઇએ