રાજકોટમાં લોકદરબાદ દરમિયાન એક એવી માતા પણ પોતાની ફરિયાદ સાથે પહોંચી હતી કે, જેમણે વ્યાજના ચક્કરમાં 5 લાખની સામે 13 લાખ ચૂકવ્યા અને છતાં પરેશાની થઈ રહી છે
રાજકોટમાં પોલીસનો લોકદરબાર
વ્યાજખોરો,લેન્ડ ગ્રેબિંગને લઈ લોકદરબાર
પઠાણી ઉઘરાણીને લઈ મહિલાઓની ફરિયાદ
રાજકોટમાં શહેર પોલીસે લોકદરબાર યોજ્યો હતો. જેમાં એક માતાને રૂપિયા માટે હેરાનપરેશાન કરવામાં આવી રહી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રમુખસ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા લોકદરબારમાં વ્યાજખોરોની હેરાનગતિ અને લેન્ડ ગ્રેબિંગ જેવી ફરિયાદોને ધ્યાને લેવા માટે હતો. જેમાં અનેક પીડિતોએ લોકદરબારમાં પોતાની ફરિયાદ નોંધાઈ હતી. તો માત્ર ધંધાદારી અને પુરુષો નહીં પરંતુ મહિલાઓ દ્વારા પણ વ્યાજખોરોને લઈ ફરિયાદ નોંધાઈ હતી. આ દરમિયાન એક એવી માતા પણ પોતાની ફરિયાદ સાથે પહોંચી હતી. જેમણે વ્યાજના ચક્કરમાં 5 લાખની સામે 13 લાખ ચૂકવ્યા હોવા છતાં ઉઘરાણી થતી હોવાની ફરિયાદ કરી છે.
સમગ્ર ઘટનાના ફરિયાદી મહિલાનું નામ કંચનબેન સોલંકી છે. જે પણ આ લોકદરબારમાં પોતાની મુશ્કેલી સાથે પહોંચ્યા હતા. રાજકોટના હરિઘવા રોડ પર રહેતા કંચનબેને કહ્યું કે, દિકરાની કીડનીની સારવાર માટે તાત્કાલીક 5 લાખ રૂપિયાની જરૂર પડી હતી. જેના કારણે ટૂંક સમયમાં નાણા લેવા માટે વ્યાજખોરોના સંપર્કમાં આવી ગયા હતા. નાણા લીધા બાદ તેમણે 5 લાખની સામે 13 લાખ પરત પણ કરી દીધા છે. આમ છતાં વ્યાજખોરો વધુ 10 લાખની માગણી કરી રહ્યા છે.
મહિલાએ ચોધાર આંસૂએ પોતાની કરુણતા સંભળાવી કે, મેં મારા દિકરા માટે તાત્કાલીક 5 લાખની વ્યવસ્થા કરી હતી. પરંતુ ઈશ્વરને કંઈક અલગ જ મંજૂર હતું. અને સારવાર છતાં દિકરાનું દુઃખદ નિધન થયું છે. જે બાદ સતત વ્યાજખોરો દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. સતત રૂપિયાની માગણી કરી રહ્યા છે. એક દિકરા વગરની માતાની હેરાનગતિ કરતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ શું અને ખાખીનો કેટલો પાવર દેખાડશે તે જોવું રહ્યું.