પાકિસ્તાનથી આવેલા તીડના ઝૂંડે દેશના અનેક રાજ્યોની મુશ્કેલી વધારી છે. દેશના 9 રાજ્યો પર તીડનો આતંક જોવા મળી રહ્યો છે. તેમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ નો સમાવેશ કરાયો છે. હાલમાં સરકાર તીડના આતંકની સામે લડવા માટે કમર કસી રહી છે. તીડના આતંકથી પાકને નુકસાન થવાના ડરના કારણે ખેડૂતો પણ ચિંતા અનુભવી રહ્યા છે.
ગુજરાત સહિત દેશભરમાં વધ્યો તીડનો આતંક
9 રાજ્યો તીડના આતંકથી થયા પ્રભાવિત
સરકાર તીડના આતંક સામે લડવા કસી રહી છે કમર
દેશભરમાં તીડના વધતાં આતંકને લઈને રાજ્ય સરકારે તેની સામે લડવા માટે કમર કસી છે. સાથે જ તંત્ર અને ખેડૂતો એલર્ટ પર છે. તીડના ઝૂંડને વરસાદના આગમન પહેલાં નાથવાની તૈયારી કરી છે. આ સમયે ખરીફ પાક તૈયાર થશે અને સાથે જ પાકને નુકસાન થવાની સંભાવના રહે છે.
Rajasthan: A swarm of desert locusts, which is a type of a species of short-horned grasshoppers, flew across Sri Ganganagar district today. pic.twitter.com/HPOTGqMdNK
કેન્દ્ર સરકારે તીડ ચેતવણી સંગઠનને જણાવ્યું કે આ તીડ આવનારા મહિનામાં ખેડૂતોને માટે ખતરો ઊભો કરી શકે છે. તેને ચોમાસા પહેલા ખતમ કરવું જરૂરી છે. જો આવું કરવામાં નહીં આવે તો પાકને ભારે નુકસાન થઈ શકે છે. હાલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં 303 જગ્યાઓએ 47308 હેક્ટરના પાકને નુકસાન કરી શકે છે.
#WATCH Rajasthan: People bang utensils in order to scare away the swarm of desert locusts, a type of a species of short-horned grasshoppers, which flew across Dholpur district yesterday. pic.twitter.com/O8cFBfVdYk
તીડનું એક ઝૂંડ બુધવારે ઝાંસી પહોંચ્યું હતું. કૃષિ ઉપ નિદેશક કમલ કટિયારે કહ્યું કે આ તીડને ભગાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેઓએ એક કિલોમીટરમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. સાથે જ કીટનાશકોનો છંટકાવ પણ કર્યો છે. આ સિવાય ડીજે અને વાસણોથી અવાજ કરીને તેમને ભગાડવાની કોશિશ કરવામાં આવી રહી છે આ સિવાય 13 જિલ્લામાં સતર્કતા વધારી દેવામાં આવી છે.
છંટકાવ માટે 89 ફાયર એન્જિનની ગાડીઓ કરાઈ તૈયાર
રાજસ્થાનમાં સ્થિતિ એટલી ખરાબ થઈ છે કે કૃષિ વિભાગે જયપુરમાં તીડના દળ પર નિયંત્રણ મેળવવા માટે કીટનાશકોનો છંટકાવ કરાયો છે. તેના માટે તેઓએ ડ્રોનની મદદ લીધી છે. 89 ફાયર એન્જિનની ગાડીઓ તૈયાર કરાઈ છે. રાજ્યના ઉચ્ચ શિક્ષામંત્રી ભવર સિંહ ભાટીએ તીડથી છૂટકારો મેળવવા માટે 120 સર્વેક્ષણના વાહન અને 810 ટ્રેક્ટર તૈયાર કર્યા છે જેનાથી દવાનો છંટકાવ કરી શકાય.
રાજનાંદગાંવમાં 20 હેક્ટર સ્પ્રેયરની વ્યવસ્થા કરાઈ
છત્તીસગઢના રાજનાંદગાંવમાં લાખોની સંખ્યામાં તીડ આવી શકે છે. તેમાં પ્રશાસન સંપૂર્ણ રીતે તૈયાર છે. ખેડૂતો તેનાથી બચવાના ઉપાય જણાવી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે રાજનાંદગાંવમાં જિલ્લા સ્તરે બેઠક કરી છે. કૃષિ વિભાગે અધિકારીઓને જણાવ્યું છે કે ખેડૂતો સાથે ચર્ચા કરીને 20 હેક્ટર સ્પ્રેયરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં પાકને કર્યું ભારે નુકસાન
તીડના ઝૂંડે મહારાષ્ટ્રના નાગપુરમાં પ્રવેશ કર્યો છે. આ ઝૂંડ રામટેક શહેર તરફ આગળ વધવાની શક્યતા છે. તીડના 17 કિમીના વિસ્તારમાં ફેલાયેલા નાગપુરના કોટલના ફેત્રી, ખાનગામના ખેતરમાં ઘૂસ્યા. ત્યારપછી તેઓએ વર્ધામાં નારંગી અને શાકની ખેતીને નુકસાન કર્યું છે.