ગત વર્ષે ફેબ્રુઆરી મહીનામાં પુલવામા હુમલા બાદથી પાકિસ્તાન અને ભારતની વચ્ચે વ્યાપારીક સંબંધ તણાવપૂર્ણ છે. જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી બંને દેશોમાં વ્યાપારિક સંબંધ પૂર્ણ રીતે બંધ થઇ ચૂક્યા છે. જોકે, હવે પાકિસ્તાનને વ્યાપારી મદદ માટે હાથ લાંબો કરવો પડી રહ્યો છે. હાલ પાકિસ્તાન સરકાર માટે સૌથી મોટી મુશ્કેલી તીડ બની ચૂકી છે.
પુલવામા હુમલા બાદથી પાક. અને ભારતની વચ્ચે વ્યાપારીક સંબંધ તણાવપૂર્ણ છે
હવે પાકિસ્તાનને વ્યાપારી મદદ માટે હાથ લાંબો કરવો પડી રહ્યો છે
પાકિસ્તાન સરકાર માટે સૌથી મોટી મુશ્કેલી તીડ બની ચૂકી છે
તીડને કારણે પાકિસ્તાનની સ્થિતિ એટલી ખરાબ છે કે વડાપ્રધાન ઇમરાન ખાને તેને નેશનલ ઇમરજન્સી જાહેર કરી દીધી છે.
પાકિસ્તાન કેબિનેટ લેશે નિર્ણય
હવે આ તીડનો સામનો કરવા માટે પાકિસ્તાન સરકાર એ બાબત પર વિચારી રહી છે કે એકવાર ફરી ભારતથી કીટનાશક આયાત કરવામાં આવે. પાકિસ્તાની સમાચાર ધ ડૉનની એક રિપોર્ટમાં આ વિશે જાણકારી આપી છે. આ રિપોર્ટ મુજબ, મંગળવારે પાકિસ્તાનની કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ભારતથી કીટનાશક આયાત કરવાના નિર્ણય પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
છેલ્લા એક દાયકામાં પાકિસ્તાન પર તીડનો આ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રકોપ છે. તેના કારણે પંજાબ પ્રાન્તમાં મોટા સ્તરે પાક નિષ્ફળ જઇ રહ્યો છે. આ મહીને યોજાયેલી એક બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તેને નેશનલ ઇમરજન્સી જાહેર કરી હતી.
આ બેઠકમાં તીડનો સામનો કરવા માટે પાક. ને લગભગ 7.3 અરબ રુપિયા ફાળવ્યા હતા. આ બેઠકમાં પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) થી 450 મિલિયન ડોલર પ્રાપ્ત કરવા પર વિચાર કરવામાં આવ્યો.