કોરોના વાયરસ મહામારીથી જજૂમી રહેલ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પર આજે વધુ એક સંકટ તોળાઇ રહ્યું છે. હરિયાણાના ગુરૂગ્રામમાં તીડના ટોળાના હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તીડના ટોળાના હુમલાને ધ્યાને રાખતા દિલ્હી સરકાર અને સ્થાનિક તંત્ર પણ અલર્ટ મોડ પર છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પરિસ્થિતિને જોતા તાત્કાલિક બેઠક બોલાવી છે. દિલ્હીથી જોડાયેલ ગુરૂગ્રામ સુધી તીડના ઝુંડને પહોંચવાની સૂચના બાદ મંત્રીએ તંત્રના અધિકારીઓને અલર્ટ રહેવા કહ્યું છે.
કોરોના બાદ દિલ્હી પર વધુ એક સંકટ
તીડનું ઝુંડે કર્યો રાજધાની પર હુમલો
રાજસ્થાન, ગુજરાત અને ઉત્તરપ્રદેશ બાદ તીડ દિલ્હી પહોંચ્યા
આ પહેલા સાઉથ-વેસ્ટ દિલ્હીના ડીએમએ જણાવ્યું હતું કે, તીડના ઝુંડે હુમલાને લઇને તંત્ર પહેલાથી જ અલર્ટ છે. અંદાજિત 10 દિવસ પહેલા જ દિલ્હી સાઉથ વેસ્ટ જીલ્લાના અંદાજિત 70 ગામડાઓના ખેડૂતોને આના બચાવ માટે ટ્રેનિંગ અપાઇ ચૂકી છે.
દિલ્હીમાં તીડને ભગાવવા DJ વગાડવાનો નિર્ણય
દિલ્હીમાં તીડના આક્રમણને લઇને અલર્ટ અપાયું છે. ત્યારે સરકારે તીડને ભગાવવા પ્લાન બનાવ્યો છે. તીડનું ઝુંડ પલવલ તરફ આગળ વધી રહ્યું છે. જસોલા અને ભાટી તરફ નાનુ ઝૂંડ ફરી રહ્યું છે. ઢોલ અને ડીજે વગાડવાનો આદેશ અપાયો છે. દિલ્હીના વિકાસમંત્રી ગોપાલ રાયે બેઠક બોલાવી છે. બેઠક બાદ સરકાર એડવાઇઝરી જાહેર કરશે. તીડના ઝુંડ પર કેમિકલ પણ છાંટવામાં આવશે.
દેશના કેટલાક રાજ્યોમાં પાક થઇ રહ્યા છે બરબાદ
ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણા બાદ હવે પશ્ચિમ મહારાષ્ટ્ર અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં રેતપ્રદેશના તીડોના કારણે મોટા પ્રમાણમાં પાક નિષ્ફળ થઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે પ્રતિક્રિયાને સમન્વિત કરવા માટે 11 કંટ્રોલ પેનલ સ્થાપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ રણપ્રદેશના તીડ આફ્રીકાથી ઈરાન અને ઈરાનથી પાકિસ્તાનના રસ્તે ભારત આવ્યા છે. પોતાની ભૂખને સંતોષાવા દરમિયાન આ સમગ્ર રીતે અનિયંત્રિત થઇ જાય છે. આ દરમિયાન તેઓ પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે.
#WATCH Haryana: Drums being beaten by locals in Jhajjar to drive away the swarms of locusts, while district administration is using sirens to scare away the insects. pic.twitter.com/Kei63lkzen
ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજસ્થાન, ગુજરાત અને ઉત્તરપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં તીડના ઝુંડના હુમલાના કારણે ખેડૂતોના પાકોને નુકસાન પહોંચી ચૂક્યું છે. આ રાજ્યો સિવાય પશ્ચિમ મહારાષ્ટ્ર અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં પણ તીડના કારણે મોટા પ્રમાણમાં પાક નિષ્ફળ ગયા છે.