રેલ્વેના એક આસિસ્ટેંટ લોકો પાયલટ, જે ટ્રેન અને મુસાફરોને છોડીને દારૂ ઢીંચવા ઉપડી ગયો હતો. બે ચાર મિનિટ નહીં, પણ એક કલાક સુધી ટ્રેન સ્ટેશન પર રોકાઈ રહી હતી.
બિહારમાંથી વિચિત્ર ઘટના સામે આવી
દારૂ પીવા માટે ટ્રેન રોકી ઉપડી ગયો ડ્રાઈવર
માર્કેટમાં ટલ્લી થયેલો જોવા મળ્યો
સરકારના જણાવ્યા અનુસાર બિહાર ડ્રાઈ સ્ટેટ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ઘણી વાર તેને લઈને આરોપો પણ લાગ્યા છે. તેમ છતાં પણ બિહારમાં દારૂની રેલમછેલ થઈ રહી છે. તેનું સૌથી મોટુ ઉદાહરણ તાજેતરમાં સામે આવ્યું છે. રેલ્વેના એક આસિસ્ટેંટ લોકો પાયલટ, જે ટ્રેન અને મુસાફરોને છોડીને દારૂ ઢીંચવા ઉપડી ગયો હતો. બે ચાર મિનિટ નહીં, પણ એક કલાક સુધી ટ્રેન સ્ટેશન પર રોકાઈ રહી હતી, પણ ડ્રાઈવરે ગ્રિન સિગ્નલ થવા છતાં પણ ટ્રેન આગળ ચલાવી નહોતી. જ્યારે આ આસિસ્ટેંટ લોકો પાયલટની શોધ માટે જીઆરપી લગાવામાં આવી, તો ખબર પડી કે, નજીકની એક બજારમાં ડ્રાઈવર દારૂ પી રહ્યા હતા, અને તે ઉભો પણ રહી શકતો નહોતો, તો પછી ટ્રેન કેવી રીતે ચલાવી શકે.
ટ્રેન રોકી દારૂ ઢીંચવાના ઉપડી ગયો ડ્રાઈવર
રેલ્વેના એક આસિસ્ટેંટ લોકો પાયલટે નીતિશ કુમારની દારૂબંધીના દાવાની પોલ ખોલી નાખી હતી. હકીકતમાં જોઈએ તો, બિહારમાં આવી જ એક ઘટના ઘટી છે. જેના વિશે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અહીં એક લોકલ ટ્રેન લગભગ એક કલાક સુધી સ્ટેશન પર ઉભી રહી હતી. કારણ કે, આસિસ્ટેંટ પાયલટ એન્જીનમાંથી ગાયબ હતા. પણ જ્યારે આ વાતની જાણકારી મળી તો, રેલ અધિકારી અને મુસાફરો ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, ડ્રાઈવર દારૂ પીવા માટે ટ્રેન ઉભી રાખીને નજીકની માર્કેટમાં જતો રહ્યો હતો.
है ना बिहार गजब का।
समस्तीपुर में घंटो ट्रैक पर ट्रैन छोड़ कर लोको पायलट शराब पीने चला गया,इधर यात्री और रेलवे डिपार्टमेंट परेशान।
जब मिला तो पायलट तो इस हालत में। pic.twitter.com/gGt42ejKLn
ઘટના સમસ્તીપુર રેલ ડિવિઝનના હસનપુર સ્ટેશનની છે. અહીં સમસ્તીપુર સહરસા પેસેન્જર ટ્રેન થોડી વાર માટે રાજધાની એક્સપ્રેસને પહેલા પસાર થવા દેવા માટે રોકી રાખવામાં આવી હતી. આ દરમિયાન પેસેન્જર ટ્રેનનો આસિસ્ટેંટ લોકો પાયલટ કરણવીર પ્રસાદ યાદવ ઉતર્યો અને ગાયબ થઈ ગયો હતો. જ્યારે સિગ્નલ આપ્યા બાદ પણ ટ્રેન આગળ ન ગઈ તો, આસિસ્ટેંટ સ્ટેશન માસ્ટરે તેના વિશે જાણ કરી, આ બાજૂ ટ્રેનમાં બેઠેલા મુસાફરો પણ પરેશાન થઈ રહ્યા હતા.
તપાસ બાદ કાર્યવાહી થશે
ત્યાર બાદ આસિસ્ટેંટ લોકો પાયલટને શોધવા માટે જીઆરપી બોલાવામાં આવી. તેને શોધવા જતાં બાજૂમાં આવેલી માર્કેટમાથી તે નશાની હાલતમાં મળી આવ્યો હતો. તેની હાલત એવી હતી કે, તે સીધો ઉભો રહી પણ શકતો નહોતો. જીઆરપીએ તેને તાત્કાલિક દબોચી લીધો. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ડીઆરએમ આલોક અગ્રવાલે કહ્યું કે, તેને લઈને એક રિપોર્ટ મગાવામાં આવ્યો છે. તેમણે મંગળવારે કહ્યું કે, તપાસ પુરી થયા બાદ રેલ્વે કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.