કોરોના વાયરસના કારણે દેશના કેટલાક રાજ્યોમાં આજથી લૉકડાઉનની સ્થિતિ જોવા મળશે. માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના ઘણા દેશમાં લોકોના આવન-જાવન અને ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ મુકી દીધો છે. દરેક લોકોનો પ્રયત્ન છે કે કોરના વાયરસને ઓછામાં ઓછો ફેલવાને લઇને રોકવામાં આવે. આ વચ્ચે હવે લૉકડાઉનને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી નિવેદન સામે આવ્યું છે. WHO દ્વારા જણાવામાં આવ્યું કે કોરોના વાયરસનો ફેલાવો રોકા માટે માત્ર લૉકડાઉન પર્યાપ્ત નથી.
દુનિયામાં કોરોનાના કારણે 15 હજાર મૃત્યું
ભારતમાં અત્યાર સુધીમાં અંદાજે 400 કેસ
દેશના ઘણા બધા ભાગમાં લોકડાઉનનું એલાન
સમાચાર એજન્સી રૉયટર્સના સમાચાર મુજબ WHOના માઇક રાયને પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે માત્ર લૉકડાઉન જ કોરોનાને રોકવા માટે પર્યાપ્ત નથી, આ સમયે જરૂરી છે કે જે લોકો બિમાર છે અને કોરોનાથી પીડિત છે તેમને શોધવામાં આવે અને તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવે. જો આમ કરવામાં આવશે તો જ તેને રોકી શકાશે.
માઇ રાયે જણાવ્યું કે લૉકડાઉનની સાથે-સાથે મોટી મુશ્કેલી એ છે કે જ્યારે તે ખત્મ થાય છે ત્યારે લોકો અચાનક મોટી સંખ્યામાં બહાર નીકળશે અને ફરી ખતરો વધી જશે.
ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસનો યૂરોપ અને અમેરિકામાં સૌથી વધારે કહેર જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ઘણા બધા દેશોએ પોતોની જનતાએ ઘરોમાં રહેવા જણાવ્યું અને લૉકડાઉનનું એલાન કરી દીધું. યૂરોપના કેટલાક શહેરોમાં બાર, રેસ્ટોરાં સહિત કેટલીક સુવિધાઓને કેટલાંક દિવસો સુધી બંધ કરવાનું જણાવામાં આવ્યું.
માઇક રાયને કહ્યું કે ચીન, સિંગાપુર અને દક્ષિણ કોરિયાએ જ્યારે લૉકડાઉન કર્યું ત્યારે તે લોકોએ એવા બધા વ્યક્તિની તપાસ કરી જેના પર કોરોના વાયરસનો ખતરો હતો. હવે યૂરોપ, અમેરિકા અને અન્યદેશોએ પણ આ મૉડલ લાગુ કરવું જોઇએ. જો એક વખત આ વાયરસને ફેલાવતો અટકાવી શકીશું તો આ બિમારી સામે આપણે લડી શકીશું.