કોરોના વેક્સિનની વાતો વચ્ચે વિશ્વમાં 4.33 કરોડથી પણ વધુ કોરોનાના કેસ નોંધાઇ ચૂક્યા છે. જો કે, આ તરફ આપણા રાષ્ટ્ર માટે રાહતના સમાચાર એ છે કે, કોરોનાનો રિકવરી રેટ 90 ટકાને પાર પહોંચી ગયો છે. જો કે, આ મહામારી હજી થંભી નથી ત્યારે પરિસ્થિતિથી વાકેફ થઇને મિઝોરમ સરકારે ફરીવાર પોતાના એક મનપાના વિસ્તારમાં લૉકડાઉનનો નિર્ણય લીધો છે.
મનપાના વિસ્તારમાં લૉકડાઉનનો નિર્ણય
કોરાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કરી જાહેરાત
3 નવેમ્બર સુધી લૉકડાઉન જાહેર
કોરાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને મિઝોરમની રાજધાની આઇઝોલ નગરપાલિકા વિસ્તારમાં મંગળવારે સવારે 4:30 થી 3 નવેમ્બરના સાંજના 4:30 વાગ્યે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ નિર્ણય મુખ્યમંત્રીની સંમતિથી લેવામાં આવ્યો હતો. મિઝોરમ સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગે આ માહિતી આપી.
3 નવેમ્બર સુધી લૉકડાઉન જાહેર
ઉલ્લેખનીય છે કે, મિઝોરમમાં અત્યાર સુધીમાં 2,493 નવા કેસ નોંધાયા છે. તો અત્યાર સુધીમાં 2203 લોકો સાજા થયાં છે અને હાલ એક્ટિવ કેસની સંખ્યા 290 છે. ત્યારે આ રાજ્યની સરકારે પરિસ્થિતિને ધ્યાને લઇને આગામી 3 નવેમ્બર સુધી લૉકડાઉન જાહેર કર્યું છે.
Lockdown to be imposed in the Aizwal Municipal Corporation area from 4:30 am tomorrow till 4:30 am of 3rd November: Department of Information and Public Relations, Government of Mizoram#COVID19pic.twitter.com/v2MmlAetyk
ભારતમાં છેલ્લા 24 કલાકમાં સિવિડ -19 ના 50,129 નવા દર્દીઓ નોંધાયા
દેશમાં આ દિવસોમાં કોરોનાવાયરસના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વળી, દરરોજ આવતા નવા કેસની સંખ્યા કરતા સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા વધારે છે. દેશમાં ચેપગ્રસ્ત કોરોનાની કુલ સંખ્યા 78.64 લાખ પર પહોંચી ગઈ છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં સિવિડ -19 ના 50,129 નવા કેસ નોંધાયાની સાથે કુલ કેસની સંખ્યા 78,64,811 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં વાયરસના કારણે 578 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધીમાં 1,18,534 લોકોએ જીવ ગુમાવ્યો છે.