સમગ્ર દેશમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. 900થી વધારે લોકો આ ચેપનો ભોગ બન્યા છે અને 22 જેટલા લોકોના મોત નિપજ્યા છે. આ મહામારી વચ્ચે રસ્તા ગરીબ પરિવારો પરેશાન ન થાય તે માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભૂખ્યાને ભોજન મળી રહે તેવા આયોજન કરવામાં આવ્યા છે આવી જ એક પહેલ અમદાવાદના હાટકેશ્વર વિસ્તારના પરિવારે કરી હતી.
શહેરના હાટકેશ્વર વિસ્તારમાં અસરાણી પરિવારની પહેલ
પરિવાર દ્વારા દરરોજ 400 લોકો માટે જમવાની કરાય છે વ્યવસ્થા
દરરોજ બે ટાઈમ જરૂરિયાતમંદ લોકો માટે જમવાની કરાય છે વ્યવસ્થા
રાજ્યમાં લોકડાઉન હોવાના કારણે ગરીબ પરિવારોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં અસરાણી પરિવાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. આ પરિવાર દ્વારા દરરોજ 400 લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
400 લોકોને જમવાનું મળી રહે તે માટે પરિવારની અનોખી પહેલ
આ પરિવાર દ્વારા દરરોજ બે ટાઈમ જરૂરિયાતમંદ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. એક પરિવારના સભ્યો દ્વારા વહેલી સવારથી રસોઈ બનાવવામાં આવે છે. રસોઈ બનાવીને પોલીસ અને જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવામાં છે.
હેમંત ચૌહાણે પોતાના જ ઘરમાં બનાવડાવી ખીચડી
કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા તમામ લોકોને જમવાનું પહોચાડવાની ખાતરી આપવામાં આવી છે. આ કહેર વચ્ચે સામાજીક સંસ્થાઓ પણ લોકોની મદદે આવી છે. ત્યારે હવે ગાયક કલાકાર હેમંત ચૌહાણે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી છે. તેમણે પોતાના ઘરે જ ખીચડી બનાવીને લોકો સુધી પહોંચાડી છે. આ સાથે જ તેમણે વીડિયો જાહેર કરીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની પણ અપીલ કરી છે.