એક તરફ ભારત અને પાકિસ્તાનની સરકારો અનેક મુદ્દાઓ પર એકબીજા સાથે બાથ ભીડી દેતા રહ્યા છે. ત્યારે કેટલાક સંબંધો એવા પણ છે જે આ સરહદોને સ્વીકારતા નથી. સરહદની બહાર પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં જલંધરમાં રહેતો વરરાજો કમલ કલ્યાણ અને દુલ્હન સુમાઈલા લગ્નના બંધનમાં બંધાવા રાહ જોઈ રહ્યા છે. પરંતુ સરહદો અને કોરોના વાયરસના અંતરને કારણે તેઓ લગ્ન કરી શકતા નથી.
કમલ કલ્યાણ સાથે 2018 માં સગાઈ કરી હતી
બન્ને એક પણ વાર મળ્યો નથી
બંનેના લગ્ન આ વર્ષે માર્ચમાં થવાના હતા
આ માટે પાકિસ્તાનના સુમાઈલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે જલંધરના એક યુવાન સાથે લગ્ન કરવા માટે વિઝા આપો. સુમાઈલા લાહોરના જોહનાબાદની રહેવાસી છે અને જલંધરના તેણે કમલ કલ્યાણ સાથે 2018 માં સગાઈ કરી હતી. બંનેના લગ્ન આ વર્ષે માર્ચમાં થવાના હતા.
સુમાઈલા અને તેના પરિવારના કેટલાક લોકો માર્ચ 2020 માં લગ્ન માટે પાકિસ્તાનથી જલંધર આવવાના હતા. પરંતુ હવે કોરોનાને કારણે બંનેના લગ્નની રાહ વધુ લાંબી થઈ રહી છે. બીજી તરફ પાકિસ્તાની કન્યાને ભારત આવવા માટે વિઝા નથી મળી રહ્યા. જ્યારે તેના તમામ કાગળો સંપૂર્ણ રીતે તૈયાર છે.
કમલ કલ્યાણ જલંધરની મધુબન કોલોનીનો છે. તેમણે જણાવ્યું કે આ સંબંધ છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યો છે અને તેના પિતાના સંબંધિઓ પણ પાકિસ્તાનમાં છે, જેના કારણે આ સંબંધ મહત્વપૂર્ણ બન્યો છે. તેમનું કહેવું છે કે સુમાઈલાને એક પણ વાર મળ્યો નથી, સગાઈ પણ વીડિયો કોલ દ્વારા થઈ છે. કમલે ભારત સરકાર પાસે પણ સુમાઈલાને વહેલી તકે ભારતમાં આવવા માટે વિઝા આપવા માંગ કરી છે. જેથી તે બંને લગ્ન કરી શકે.
ત્યારે કમલ કલ્યાણની માતા સુદેશ કહે છે કે જ્યારે તેને આ સંબંધ વિશે જાણ થઈ ત્યારે તે પહેલા તેના પુત્ર પર ખૂબ ગુસ્સે થઈ હતી અને પછીથી આ સંબંધને બંને પરિવારોએ મંજૂરી આપી દીધી હતી. હવે તેઓ ઈચ્છે છે કે યુવતી કોઈક રીતે વિઝા મેળવીને ભારત આવે જેથી બંનેના લગ્ન થઈ શકે.
આ સાથે કમલ કલ્યાણના પિતા ઓમપ્રકાશનું કહેવું છે કે તેનો પાકિસ્તાનમાં સંબંધ છે. સુમાઈલા તેના એક સંબંધીની પુત્રી છે. તેમના કહેવા મુજબ સુમાઈલા ભારતમાં જ રહેવા માંગે છે. હાલમાં બંને પરિવારો સરકાર પાસેથી માંગ કરી રહ્યા છે કે સુમાઈલાને વહેલી તકે ભારતની મુલાકાતે જવા માટે વિઝા મળે.