ઉત્તર પ્રદેશના ઔરેયા જિલ્લામાં શનિવારે થયેલા ગંભીર રોડ અકસ્માતમાં સીએમ યોગી આદિત્યનાથે એકવાર ફરી અધિકારીઓને પ્રવાસી મજૂરોનું ચાલવાનું બંધ કરવા જણાવ્યું છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓને જાહેર કરાયેલા આદેશમાં સીએમ યોગીએ કહ્યું હતું કે કોઈ પણ પરપ્રાંતીય નાગરિકોને પગપાળા, ગેરકાયદેસર અથવા અસુરક્ષિત ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ ન હોવી જોઇએ.
સીએમ યોગીના નિર્દેશ છતા રસ્તા પર જોવા મળી કડકાઈ
પોલીસે પ્રવાસી મજૂરોને યૂપીમાં પ્રવેશ આપવાની ના પાડી દીધી
ગુસ્સે ભરાયેલા મજૂરો વારંવાર ટ્રાફિક અટકાવવાનો પ્રયાસ કર્યો
સીએમ યોગીની સૂચનાને પગલે ઘણા પરપ્રાંતિય મજૂરોને ગાઝીપુર-યુપી બોર્ડર પર અટકાવવામાં આવ્યા છે. પોલીસ તેમને તેમના વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપી રહી નથી. આને કારણે સરહદ પર ખૂબ ભીડ જોવા મળી રહી છે. ગુસ્સે ભરાયેલા મજૂરો વારંવાર ટ્રાફિક અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, ટ્રાફિક પોલીસે તેમને રસ્તા પરથી હટાવ્યા હતા અને ટ્રાફિક વ્યવસ્થાને પુન: સ્થાપિત કરી હતી.
થોડી વારમાં, વાહનો ફરી એકવાર રસ્તા પર દોડવા લાગ્યા, પરંતુ ઘણા પરિવારો કિનારે એકઠા થઈ ગયા. જે તેમના બાળકો સાથે રસ્તા પર બેસવા મજબૂર થયા હતા. ઘસીટા અને તેની પત્ની સપના હેરાન છે. તે કહે છે કે હવે રાત અહીં પસાર કરવી પડશે.
એક મીડિયા સાથે વાત કરતાં ઘસીટાએ કહ્યું કે, 'હું પાનીપતમાં કામ કરતો હતો અને પરિવારનું પેટ ભરતો હતો. પરંતુ હવે સ્થિતિ ખરાબ છે. અમારા જેવા ઘણા લોકો પાસે હવે પરિવારને બે સમયની રોટલી માટે પૈસા નથી. થોડા દિવસો સ્કૂલમાં રોકાયા હતા, પણ જ્યારે ભોજનની વ્યવસ્થા ન થઈ શકી, તો પછી ઘરે જવા રવાના થઈ ગયા. હવે અહીંથી આગળ વધવાની મંજૂરી નથી. રાત અહીં પસાર થવાની છે.
ઘસીટાના પરિવારજનોનું કહેવું છે કે તે છેલ્લા છ મહિનાથી કામ કરતા હતા. પરંતુ જ્યારે પરિસ્થિતિઓ બગડતી ગઈ ત્યારે તેણે ચાલવું પડ્યું. એક તરફ, સરકાર તેમના માટે કોઈ વ્યવસ્થા કરી શકતી નથી, તે જ સમયે તેમને ઘરે પરત આવવાની પણ મંજૂરી આપવામાં આવી નથી. આમના જેવા ઘણા પરિવારોને બોર્ડર પર રોકવામાં આવ્યા છે. તેની સાથે બે વર્ષનો બાળક પણ છે. તેથી સમસ્યા વધુ ગંભીર બની છે.
શનિવારે, ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ ગૃહ અવનિશકુમાર અવસ્થીએ કહ્યું કે સીએમ યોગીએ ઔરૈયા માર્ગ અકસ્માત અંગે સંવેદના વ્યક્ત કરતી વખતે તમામ વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપી છે કે કોઈ પણ સ્થળાંતરિત નાગરિકને પગપાળા, ગેરકાયદેસર અથવા અસુરક્ષિત વાહનો પર મુસાફરી ન થવા દે.
તેમણે કહ્યું કે, દરેક સરહદી જિલ્લાઓમાં પરપ્રાંતીયો માટે 200 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. યુપીમાં અત્યાર સુધીમાં 449 ટ્રેનો આવી ચુકી છે. આ આખા દેશમાં સૌથી વધુ સંખ્યા છે. આ ટ્રેનો દ્વારા 5 લાખ 64 હજાર લોકોએ મુસાફરી કરી છે. શનિવારે 75 ટ્રેનો આવશે. વધુ 286 ટ્રેનોના સંચાલન માટે સંમતિ અપાઈ છે.
ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની એન્ટ્રી નહીં!
અવનીશ અવસ્થીએ કહ્યું કે, જો આખી સંખ્યા ઉમેરવામાં આવે તો લગભગ 9 લાખ 50 હજાર લોકોને લાવવામાં આવ્યા છે, અથવા લાવવાના છે. અન્ય રાજ્યોમાંથી કોઈ પણ પરપ્રાંત લોકોને પગપાળા, ટુ વ્હીલર્સ અને ટ્રકો દ્વારા રાજ્યની બોર્ડર પર આવનારને પરવાનગી આપનામાં આવશે નહીં.
રેલવે લાઇન અને પગપાળા પર પ્રતિબંધ
મુખ્ય સચિવે નિર્દેશ આપ્યો છે કે પરપ્રાંતીઓને ક્વોરેન્ટાઇન, શેલ્ટર હોમ અથવા અન્ય જિલ્લાઓમાં મોકલવા માટે પૂરતી સંખ્યામાં ખાનગી અને સ્કૂલ બસોની વ્યવસ્થા કરવી જોઈએ. જો પદયાત્રિકો કોઈપણ રીતે જિલ્લામાં આવે છે, તો તેઓને ત્યાં જ અટકાવી દેવા જોઈએ અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશો મુજબ કાર્યવાહી થવી જોઇએ. કોઈ પણ પરપ્રાંતિયોને માર્ગ અથવા રેલવે લાઇન પર ચાલવાની છૂટ હોવી જોઈએ નહીં.