દિલ્હીમાં કોરોનાના કેસ જોતા 17મે સુધી લોકડાઉનને વધારવાનો નિર્ણય આજે કેજરીવાલ સરકાર દ્વારા લેવાઈ શકે છે.
દિલ્હીમાં કોરોનાનો કહેર
દિલ્હીમાં વધી શકે છે લોકડાઉન
સીએમ કેજરીવાલ કરી શકે છે એલાન
દિલ્હીમાં 17 મે સુધી લોકડાઉન વધી શકે છે. દિલ્હીમાં સતત કોરોના સંક્રમણ રહેતા સીએમ કેજરીવાલ લોકડાઉન વધારવાની આજે જાહેરાત કરી શકે છે. દિલ્હીમાં કોરોનાના કેસ અને મૃત્યુના આંકડામાં કોઇ ફેરફાર આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં અત્યાર સુધી 3 વખત લોકડાઉનને વધારાયું છે અને હવે સરકાર ચોથી વખત લોકડાઉન વધારવાની તૈયારીમાં છે.
अगले 3 महीने के लिए हमें 80-85 लाख वैक्सीन हर महीने चाहिए। हम आज रोज एक लाख वैक्सीन लगा रहे हैं, हमें हर रोज 3 लाख वैक्सीन लगानी होगी। हम बड़े आराम से अपनी कैपेसिटी 3 लाख वैक्सीन की कर सकते हैं। केंद्र सरकार से निवेदन है कि हमें उचित मात्रा में वैक्सीन उपलब्ध कराई जाए: दिल्ली CM https://t.co/VSmikiJDse
ઓનલાઈન મંચ લોકલસર્કલમાં સામે આવી આ વાત
ઓનલાઈન મંચ લોકલસર્કલમાં સર્વેક્ષણના આધારે ખ્યાલ આવ્યો કે 85 ટકા લોકો દિલ્હીમાં વધુ એક અઠવાડિયાના લોકડાઉનના સમર્થનમાં છે. તો 70 ટકા લોકો ઈચ્છે છે કે પાબંધી વધારી દેવામાં આવે. 47 ટકા ઈચ્છે છે તે 3 અઠવાડિયા સુધી લોકડાઉન રહે. દિલ્હીના 11 જિલ્લાના સર્વેમાં આ પરિણામ આવ્યા છે. 66 ટકા પુરુષો અને 34 ટકા મહિલાઓને લઈને આ સર્વે કરાયો છે. સર્વેમાં 6-8 મેની વચ્ચેના પરિણામ લેવાયા છે. સર્વેક્ષણમાં સામેલ 84 ટકા લોકો ઈચ્છે છે કે સંપર્ક વિના દરેક ઘરમાં સામાન માટે અનુમતિ અપાય જેથી કારોબાર ચાલી શકે. ગ્રાહકોને પણ મુશ્કેલી ન રહે.
कोरोना की अभी दूसरी लहर चल रही है। कहा जा रहा है कि तीसरी लहर भी आ सकती है। हमारा मकसद है कि 3 महीने में दिल्ली के लोगों को वैक्सीन की डोज़ दे दी जाएं। हमें हर महीने 80-85 लाख वैक्सीन की डोज़ चाहिए। अब तक केंद्र सरकार ने हमारी पूरी मदद की है: दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल pic.twitter.com/J7kK0iigos
સીટીઆઈએ કહી આ વાત
સીટીઆઈએ એક નિવેદનમાં કહ્યું છે કે 480 સંગઠનમાંથી લગભગ 315એ કહ્યું કે દિલ્હીમાં એક અઠવાડિયાનું લોકડાઉન વધારી દેવામાં આવે. 60 સંગઠનોએ 2 અઠવાડિયાના લોકડાઉનને વધારવાનું કહ્યું છે તો 100 સંગઠનોએ લોકડાઉન હટાવવા કહ્યું છે. કારોબારીઓએ સમ વિષમના આધારે અઠવાડિયામાં 3 દિવસ દુકાનો ખોલવાની મંજૂરી માંગી છે.