દેશમાં 25મે થી ડોમેસ્ટિક ફ્લાઇટો શરૂ થઇ જવાની છે. પરંતુ મહારાષ્ટ્ર સરકારે આ મામલે અસમર્થતા વ્યક્ત કરી છે. મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે તેઓ 25મે થી વિમાની સેવા નહીં શરૂ શકે. કારણ કે તેમના મુખ્ય શહેર મુંબઇ અને પુણે રેડ ઝોનમાં છે અને આ શહેરોમાં લોકોના અવરજવર પર પ્રતિબંધ છે. મહારાષ્ટ્ર સરકારે એ પણ કહ્યું કે એ પણ સ્પષ્ટ નથી કે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ એરપોર્ટ પર ફરી કામ શરૂ કરવા, કર્મચારીઓની ઉપલબ્ધતા, અને તેમની સ્થિતિ અને ફિટનેસના સ્તર પર કામ કર્યું છે કે નહીં. અને MIALએ એ પણ સ્પષ્ટ નથી કર્યું કે કન્ટેનમેન્ટ ઝોનમાંથી તેમનો સ્ટાફ આવશે કે નહીં. આ સમયે વિમાની સેવા ચાલુ કરવી એ મોટો પડકાર છે.
મહારાષ્ટ્ર સરકારે વિમાન સેવા ચાલુ કરવાની કરી મનાઈ
યાત્રીઓ અને એરપોર્ટની અસુવિધા ગણાવી કારણ
25મેથી વિમાની સેવા શરૂ કરવાનો કર્યો ઈનકાર
પડી શકે છે આ મોટી મુશ્કેલીઓ
જો મહારાષ્ટ્રમાં હાલમાં વિમાની સેવા શરૂ થઇ તો રોજ 27 હજાર 500 યાત્રીઓ મુસાફરી કરશે. એવામાં એરપોર્ટ પર અને એરલાઇન્સમાં વધુ સ્ટાફની જરૂર પડશે. જે એક પડકાર હશે. કારણ કે કન્ટેનમેન્ટ ઝોનમાંથી સ્ટાફ કામ પર કેવી રીતે આવશે અને કેવી રીતે જશે. કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ટેક્સી પર પ્રતિબંધ છે. અને યાત્રીઓને પણ અસુવિધા થશે. જો કે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે કહ્યું કે તેઓએ તમામ તૈયારી કરી લીધી છે.
MIALએ સરકાર પર મૂકી જવાબદારી
તે જ સમયે MIALના સૂત્ર કહે છે કે અમે અમારી SOP સાથે તૈયાર છીએ અને બધા વિમાનમથકો કામગીરી માટે તૈયાર છે. જો કોઈ ફ્લાઇટ લેન્ડ કરે છે, તો અમે મુસાફરોની સુવિધા માટે બનતી વસ્તુઓ તૈયાર કરી છે. મુસાફરોની પરિવહન સુવિધા રાજ્ય સરકારની જવાબદારી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અમને લાગે છે કે હમણાં ત્યાં મર્યાદિત ઘરેલુ કામગીરી કરવામાં આવશે.
શું કહ્યું મહારાષ્ટ્ર સરકારે?
25 મેથી વિમાની સેવા નહીં શરૂ શકે
મુખ્ય શહેર મુંબઇ અને પુણે રેડ ઝોનમાં છે.
મુંબઇ અને પુણેમાં લોકોના અવરજવર પર પ્રતિબંધ.
આ સ્થિતિમાં વિમાની સેવા નહીં શરૂ કરી શકીએ.
એ પણ સ્પષ્ટ નથી કે MIAL ફરી કામ કરવા તૈયાર છે કે નહીં.
કર્મચારીઓની ઉપલબ્ધતા, સ્થિતિ અને ફિટનેસને લઇને પણ MIALએ સ્પષ્ટ નથી કર્યું.
કન્ટેઇનમેંટ ઝોનમાંથી તેમનો સ્ટાફ આવશે કે નહીં તે પણ કંઇ નક્કી નથી કર્યુ.
વિમાની સેવા શરૂ થઇ તો રોજ 27 હજાર 500 યાત્રીઓ મુસાફરી કરશે.
એરપોર્ટ પર અને એરલાઇન્સમાં વધુ સ્ટાફની જરૂર પડશે. જે એક પડકાર હશે.
ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધ ત્યારે યાત્રીઓને અને કર્મીઓને અસુવિધા થશે.