લૉકડાઉન / આ રાજ્યમાં 25મેથી નહીં શરૂ થઈ શકે એરલાઈન્સની સુવિધા, કેન્દ્રને આપ્યું આ કારણ

lockdown maharshtra government inability resume flight operations conveys reason modi government

દેશમાં 25મે થી ડોમેસ્ટિક ફ્લાઇટો શરૂ થઇ જવાની છે. પરંતુ મહારાષ્ટ્ર સરકારે આ મામલે અસમર્થતા વ્યક્ત કરી છે. મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે તેઓ 25મે થી વિમાની સેવા નહીં શરૂ શકે. કારણ કે તેમના મુખ્ય શહેર મુંબઇ અને પુણે રેડ ઝોનમાં છે અને આ શહેરોમાં લોકોના અવરજવર પર પ્રતિબંધ છે. મહારાષ્ટ્ર સરકારે એ પણ કહ્યું કે એ પણ સ્પષ્ટ નથી કે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ એરપોર્ટ પર ફરી કામ શરૂ કરવા, કર્મચારીઓની ઉપલબ્ધતા, અને તેમની સ્થિતિ અને ફિટનેસના સ્તર પર કામ કર્યું છે કે નહીં. અને MIALએ એ પણ સ્પષ્ટ નથી કર્યું કે કન્ટેનમેન્ટ ઝોનમાંથી તેમનો સ્ટાફ આવશે કે નહીં. આ સમયે વિમાની સેવા ચાલુ કરવી એ મોટો પડકાર છે.

બ્રેકિંગ ન્યૂઝ