લોકડાઉન દરમિયાનના નિયમો કાયદા પર વિચાર વિમર્શ શરુ થઈ ચૂક્યો છે.
સરકારે લોકડાઉનને લઈને તૈયારીઓ શરુ કરી દીધી
લોકડાઉનને લઈને ફુલ પ્રુફ પ્લાન બની રહ્યો છે
મંત્રીએ કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે
14 એપ્રિલથી રાજ્યમાં લોકડાઉનને લઈને નિર્ણય લેવામાં આવી રહ્યો છે
મહારાષ્ટ્રમાં રોજ કોરોનાના 50 હજારથી વધારે કેસ આવી રહ્યા છે. તેવામાં રાજ્ય સરકારે લોકડાઉન લગાવવાની તરફેણ કરી છે. રાજ્ય સરકારના અધિકારીઓના જણાવ્યાનુંસાર શક્ય છે કે બુધવારે એટલે કે 14 એપ્રિલથી રાજ્યમાં લોકડાઉનને લઈને નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ પહેલા લોકડાઉન દરમિયાનના નિયમો કાયદા પર વિચાર વિમર્શ શરુ થઈ ચૂક્યો છે.
સરકારે લોકડાઉનને લઈને તૈયારીઓ શરુ કરી દીધી
ખુદ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે તેમની સરકારે લોકડાઉનને લઈને તૈયારીઓ શરુ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે હાલમાં લોકડાઉનના દુષ્પ્રભાવને ઓછો કરવા પર ચર્ચા ચાલી રહી છે.
આ બાબતો પર થઈ રહ્યો છે વિચાર
સમાચારો મુજબ બચાવના નિયમો કાયદા પર ચર્ચાના સમયે સીએમ ઉદ્ધવ ઠાકરેએ ઉપમુખ્યમંત્રી અજીત પવારની સાથે બેઠક કરી. ઉદ્ધવ સરકાર હાલમાં આના પર વિચાર કરી રહી છે કે રાજ્યમાં ઓક્સિજન , દવાઓ અને એન્ટીવાયરલ રેમેડિસેવિરની અછતને કેવી રીતે દૂર કરી શકાય. આ ઉપરાંત રાજ્યમાં ઓછા ભાવો પર અનાજ આપવાની યોજના પર વિચાર થઈ રહ્યો છે.
લોકડાઉનને લઈને ફુલ પ્રુફ પ્લાન બની રહ્યો છે
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અસલમ શેખે જણાવ્યું કે લોકડાઉન દરમિયાન કોને પરવાનગી આપવામાં આવે અને કેટલા દિવસો માટે, આ તમામને લઈને રાજ્ય સરકાર ફુલ પ્રુફ પ્લાન બનાવી રહી છે. લોકડાઉનના પહેલા દિવસે જો લોકો ક્યાંય જવા માંગે છે અથવા અહીં આવવા માગે છે તો તેમને પુરતો સમય મળશે. મંત્રીએ કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે. તેમણે કહ્યુ કે કેન્દ્ર પોતાના રાજસ્વના લગભગ 50 ટકા મુંબઈમાંથી કમાયા છે. અમારા પ્રવાસી કમાગારો અને નાના સ્તરના બિઝનેસમેનની મદદ કરવા માટે અમને કેન્દ્રના સહકારની જરુર છે. અમે કેન્દ્ર પાસેથી એક પેકેજની માંગ કરીએ છીએ તે આગળ સહયોગ આપે.
તહેવારો માટે કડક એસઓપી રહેશે
શેખે જણાવ્યું કે રાજ્ય સરકાર આવનારા તહેવારો માટે કડક એસઓપી બનાવી રહી છે. તેમણ કહ્યુ કે તહેવારો માટે કડક એસઓપી રહેશે. નહીંતર તમે જોઈ શકો છો કે હરિદ્વાર કુંભ માટે સરકાર દ્વારા આપવામાં આવેલી પરવાનગીના કારણે કોવિડના મામલામાં કેવી રીતે વૃદ્ધિ થઈ છે.
સોમવારે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો
જો કે મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. મનાઈ રહ્યુ છે કે વીકએન્ડ લોકડાઉનના કારણે આ કમી આવી હોઈ શકે. મહારાષ્ટ્રમાં સોમવારે 51, 751 નવા મામલા આવ્યા છે તો 258 લોકોના મોત થયા છે.