મધ્યપ્રદેશના નરસિંહપુરના પાઠા ગામ નજીક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. દુર્ઘટનામાં 15 શ્રમિકો દબાઈ ગયા હતા. તમામ શ્રમિકો છુપાઈને હૈદરાબાદથી આગ્રા જઈ રહ્યા હતા. ઘટનામાં 11 લોકોને ઈજા થઈ હતી. હાલમાં 2ની સ્થિતિ ગંભીર છે. ટ્રકમાં બે ડ્રાઈવર અને એક કંડક્ટર સહિત 18 લોકો હતા. તો અન્ય તરફ મુંબઈથી યૂપી આવી રહેલા 3 મજૂરોના પણ મોત નીપજ્યા હતા. 2 ચાલતા આવી રહ્યા હતા અને એકનું ટ્રકમાં મોત થયું હતું.
મધ્યપ્રદેશમાં ટ્રક પલટી જતાં 15 શ્રમિકો દબાયા, 5ના થયા મોત
યૂપીથી આવી રહેલા 3 શ્રમિકોના પણ નીપજ્યા મોત
શ્રમિકો પગપાળા અને છૂપાઈને જતા હોવાથી બન્યો બનાવ
આ દુર્ઘટના NH 44 પર નરસિંહપુર અને સિવની સરહદ વચ્ચે થઈ હતી. ટ્રક પલટી જવાથી તેની નીચે 15 શ્રમિકો દબાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા કલેક્ટર અને SP પહોંચ્યા હતા. નરસિંહપુર કલેક્ટર દિપક સક્સેનાએ જણાવ્યું કે આ તમામ શ્રમિકો ટ્રકમાં છૂપાઈને ઘરે જઈ રહ્યા હતા.
તમામ લોકોના થશે કોરોના ટેસ્ટ
ગંભીર રીતે ઈજા પામેલા 2 લોકોને એડમિટ રાખવામાં આવ્યા છે. આ સાથે ઈજાગ્રસ્તોની સ્થિતિ સ્થિર છે. તમામ લોકોના કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવશે.
યૂપીમાં પ્રવાસી મજૂરોને પગપાળા જવાનો સિલસિલો
લોકડાઉનમાં મજૂરોની ઘરવાપસીને લઈને ફરી એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. મુંબઈના ઉત્તરપ્રદેશ જઈ રહેલા 3 પ્રવાસી મજૂરોના મોત થયા છે. મુંબઈથી પગપાળા આવી રહેલા લલ્લુરામની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અહીં સારવાર સમયે તેમનું મોત થયું હતું. ત્રીજા મૃતકની ઓળખ પ્રેમ બહાદુરના રૂપમાં થઈ છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મોતના કારણનો ખુલાસો થઈ શકશે.