નિધન / મધ્યપ્રદેશમાં નરસિંહપુરમાં ટ્રક પલટી જતાં આગ્રા જઈ રહેલા 5 શ્રમિકોના મોત, યૂપી આવી રહેલા 3 મજૂરોના પણ થયા મોત

Lockdown Laborers returing from truck died at MP and UP

મધ્યપ્રદેશના નરસિંહપુરના પાઠા ગામ નજીક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. દુર્ઘટનામાં 15 શ્રમિકો દબાઈ ગયા હતા. તમામ શ્રમિકો છુપાઈને હૈદરાબાદથી આગ્રા જઈ રહ્યા હતા. ઘટનામાં 11 લોકોને ઈજા થઈ હતી. હાલમાં 2ની સ્થિતિ ગંભીર છે. ટ્રકમાં બે ડ્રાઈવર અને એક કંડક્ટર સહિત 18 લોકો હતા. તો અન્ય તરફ મુંબઈથી યૂપી આવી રહેલા 3 મજૂરોના પણ મોત નીપજ્યા હતા. 2 ચાલતા આવી રહ્યા હતા અને એકનું ટ્રકમાં મોત થયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ