પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હવે દર અઠવાડિયે બે દિવસ સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. વળી, સરકારે કહ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં લોકલ ટ્રાન્સમિશન પણ થયું છે.
મમતા સરકારનો મોટો નિર્ણય
31 ઓગસ્ટ સુધી રહેશે લૉકડાઉન
બકરી ઇદના દિવસે લાગુ નહીં પડે લૉકડાઉન
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે પશ્ચિમ બંગાળમાં કોરોના ચેપના સતત વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લૉકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Lockdown (2 days in the week) in the state extended till 31st August: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/MRKpPjcHZ6
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખુદ આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, "અઠવાડિયાના બે દિવસનું લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાઈ રહ્યું છે. બકરી ઇદના પ્રસંગે 1 ઓગસ્ટે લૉકડાઉન લાગુ થશે નહીં.
અત્યાર સુધીમાં કોરોનાનાને કારણે 1411 લોકોના થયાં છે મોત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમ બંગાળમાં 19502 કોરોનાના દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો છે અને 1411 દર્દીઓના મોત નીપજ્યા છે. આ સાથે જ 39917 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
દેશમાં હાલ ચાલી રહ્યું છે કોરોનાની રસીનું ટ્રાયલ
કોરોના વાયરસની રસી બનાવવામાં સફળ રહેલી ઓક્સફર્ડની રસીનું ટ્રાયલ ભારતમાં કરવામાં આવશે. જેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે સત્તાવાર રીતે DBT સચિવ રેણુ સ્વરુપે માહિતી આપી હતી.
રશિયા બાદ ઓક્સફર્ડ કોરોનાની રસી બનાવવામાં સફળ રહ્યું છે. જેમાં તેઓનું ક્લીનીકલ અને હ્યુમન ટ્રાયલમાં પણ સફળતા મળી ચે જોકે તેનું પ્રોડક્શન ભારતમાં થવાનું હોઈ તેનું અંતિમ હ્યુમન ટ્રાયલ ભારતમાં થશે. આ ટ્રાયલ 5 સ્થળોએ કરવામાં આવશે જેની તમામ તૈયારીઓ પુરી થઈ ગઈ છે.
ભારતમાં ત્રીજુ અને અંતિમ માનવ ટ્રાયલ થવાનું છે. જે 5 સ્થળો પર કરવાની યોજના સરકારે બનાવી છે. જેના માટે સ્થળોની પસંદગી થઈ ગઈ છે. DBT સચિવ રેણુ સ્વરુપે આ અંગેની સત્તાવાર જાણકારી આપી હતી.