યુપીમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને યોગી સરકારે લોકડાઉન 10 મે સુધી વધારી દીધું છે.
યુપીમાં 10 મે સુધી લોકડાઉન લંબાવાયું
યોગી સરકારે લીધો નિર્ણય
રસીકરણ અને સેનિટાઈઝેશન ઝડપી બનાવવાનો આદેશ
યોગી સરકારે તમામ જિલ્લા વહિવટીતંત્રને ગામડાઓમાં રસીકરણ અને સેનિટાઈઝેશન ઝડપી બનાવવાનો પણ આદેશ આપ્યો છે.લોકડાઉન દરમિયાન જરુરી વસ્તુઓની દુકાનો, દવાની દુકાનો સહિત ઈ-કોમર્સ સપ્લાય ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
આ સેવાઓની મળી ઈ-પાસમાંથી છૂટ
- ઓદ્યોગિક ગતિવિધિઓ
- મેડિકલ,જરુરી સેવાઓ તથા વસ્તુઓનો સપ્લાય તથા જરુરી સેવાઓનું પરિવહન
- મેડિકલ અને આરોગ્ય સેવાો
- ઈ-કોમર્સ ઓપરેશન્સ
- ઈમરજન્સી મેડિલ સેવાવાળા વ્યક્તિ
- મેડિકલ ઈમરજન્સી સ્થિતિ
કોરોના પર કાબૂ મેળવવા પીજીઆઈ ડિરેક્ટરની અધ્યક્ષતામાં રચાઈ સલાહકાર સમિતિ
યોગી સરકારે કોરોના સંક્રમણના અટકાવ અને દેખરેખ માટે ચિકિત્સા વિશેષજ્ઞોની એક સલાહકાર સમિતિની રચના કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીમાં મળેલી હાઈ લેવલની બેઠકમાં લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવાયો હતો. યુપી સરકારના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે શુક્રવાર રાતના 8 થી મંગળવાર સવારના 7 સુધી કોરોના કર્ફ્યુ 10 મે સુધી લંબાવવામાં આવે છે. તથા હજુ પણ કર્ફ્યુ લંબાવવાનો નિર્ણય રવિવારે લેવામાં આવશે.
સોમવારની સરખામણીએ 28 હજાર વધારે કેસ છે
બે દિવસ ભલે કેસ ઘટ્યા હોય પણ કોરોના હજું પણ મુશ્કેલી વધારી રહ્યો છે. દેશમાં એકવાર ફરી કોરોનાના નવા મામલાની સાથે મોતમાં પણ વધારો નોંધાયો છે. દેશમાં મંગળવારે 3 લાખ 82 હજારથી વધારે કેસ આવ્યા છે. સોમવારની સરખામણીએ 28 હજાર વધારે કેસ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના કેસ 2 કરોડને પાર થઈ ગયા છે. માત્ર 15 દિવસમાં સંક્રમણના 50 લાખથી વધારે મામલા આવ્યા છે.
એક દિવસના કોરોનાના કેસ 382,691 આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ મંગળવારે(4 મે) એક દિવસના કોરોનાના કેસ 382,691 આવ્યા છે. આ દરમિયાન સૌથી વધારે મોત 3786 લોકોના જીવ ગયા છે. આ પહેલા સોમવારે 3 મેના રોજ એક દિવસમાં 355, 828 નવા કેસ આવ્યા હતા અને આ દરમિયાન 3438 લોકોના મોત થયા હતા.
એક દિવસમાં 3786 લોકોના મોત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર કોરોના વાયરસના એક દિવસમાં 382,691 નવા કેસ આવતા કુલ કેસની સંખ્યા 20665524 પહોંચી છે. જ્યારે 3786 લોકોના મોત થતા મરાનારાની સંખ્યા 226194 પર પહોંચી ગઈ છે. ભારતમાં ડિસેમ્બરમાં 1 કરોડ કેસ હતા જેના 107 દિવસ બાદ 5 એપ્રિલ સંક્રમણના મામલ 1.25 કરોડને પાર પહોંચી ગઈ. મહામારીના મામલા 1.50 કરોડને પાર થવામાં 15 દિવસ જ લાગ્યા છે.
19 એપ્રિલના આ મામલા 1.5 કરોડથી વધારે થઈ ગયા હતા
દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા ગત વર્ષ ઓગસ્ટે 20 લાખને પાર થઈ ગઈ હતી. તે કોરોનાના દર્દીની સંખ્યા 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર થઈ ગઈ છે. આ બાદ 28 સપ્ટેમ્બરે કોરોનાના મામલા 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ, 19 ડિસેમ્બરે 1 કરોડ અને 19 એપ્રિલના આ મામલા 1.5 કરોડથી વધારે થઈ ગયા હતા.