દેશમાં વધી રહેલા કોરોના વાયરસ વચ્ચે તેલંગાણા સરકારે એક મોટો નિર્ણય લીધો હતો, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ KCRએ જણાવ્યું હતું કે, રાજ્યમાં લૉકડાઉનનો સમયગાળો વધારીને 29 મે સુધી કરવામાં આવ્યો છે.
કોરાનાને કારણે દેશમાં લૉકડાઉન
તેલંગાણા સરકારનો મોટો નિર્ણય
29 મે સુધી લંબાવ્યું લૉકડાઉન
7 કલાક ચાલેલી કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે, લોકો ઇચ્છી રહ્યા છે કે, લૉકડાઉન લંબાવવામાં આવે, આ અંગે પ્રધાનમંત્રીન મોદીને પણ જાણ કરવામાં આવી છે. કેસીઆરે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા રેડ ઝોનમાં પણ દુકાનો ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે પરંતુ હૈદરાબાદ, મેડચલ, સૂર્યપેટસ વિકારાબાદમાં કોઇપણ દુકાનો ખોલવામાં આવી નથી.
સાંજે 7 વાગ્યા બાદ રાજ્યમાં કરફ્યું
Public should complete purchase of essential items by 6 pm and they should reach their residences. There will be curfew in the state from 7 pm. If anyone is found outside, police will initiate action: Telangana CM K. Chandrashekar Rao pic.twitter.com/OFJxYj74Ks
મુખ્યમંત્રી કેસીઆરએ કહ્યું કે જનતાએ જરૂરી ચીજવસ્તુઓની ખરીદી સાંજના 6 વાગ્યા સુધીમાં પૂર્ણ કરી દેવી જોઈએ અને વહેલી તકે તેમના ઘરે પહોંચવું જોઈએ. સાંજે 7 વાગ્યાથી રાજ્યમાં કર્ફ્યુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે આ દરમિયાન જો કોઇ બહાર મળે તો પોલીસ કાર્યવાહી કરશે. નોંધનીય છે કે, 17 મે સુધી સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
તેલંગાણામાં કોરોનાના 1096 કેસ
આપને જણાવી દઇએ કે, તેલંગાણામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 1096 કેસ નોંધાયા છે. જેમાં 439 લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે. જ્યારે 628 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.