ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ વધતાં જોવા મળી રહ્યા છે. એક બાજુ જ્યાં ગુજરાત જેવા રાજ્યો અનલોક થઈ રહ્યા છે ત્યાં તમિલનાડુમાં લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે.
ભારતમાં કોરોના વાયરસના કેસ ઘટયા
અમુક રાજ્યોમાં વધી રહ્યા છે કેસ
ક્યાંક લૉકડાઉન તો ક્યાંક કર્ફ્યૂ
ત્રિપુરામાં કર્ફ્યૂ લંબાવી દેવામાં આવ્યું
કોરોના વાયરસના વધતાં કેસને જોતાં ત્રિપુરામાં 17 જુલાઇ સુધી કોરોના કર્ફ્યૂ લંબાવી દેવામાં આવ્યું છે.
કેરળમાં કોરોનાનો ભરડો
જ્યાં આખા દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે ત્યારે કેરળમાં કેસ ઓછા થવાનું નામ જ નથી લઈ રહ્યા. એક સમયે જ્યાં દેશભરમાં કોરોના વાયરસના કેસ ઓછા કરવા માટે કેરળ મોડલના વખાણ કરવામાં આવી રહ્યા હતા ત્યાં અત્યારે કેરળમાં હજુ હજારો કેસ સામે આવી રહ્યા છે. કેરળમાં આજે એક દિવસમાં 14 હજાર નવા કેસ નોંધાયા છે.
તમિલનાડુમાં 19 જુલાઇ સુધી લૉકડાઉન
તમિલનાડુમાં 19 જુલાઇ સુધી લૉકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હોટલ, ચાની દુકાન, બેકરી, રેસ્ટોરન્ટને પણ 9 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપી દેવામાં આવો છે. જોકે ગ્રાહકોની સંખ્યાને 50 ટકા સુધી સીમિત રાખવામાં આવશે. સ્કૂલ-કૉલેજ, સિનેમાહૉલ, સ્વીમિંગ પૂલ, ઝૂને બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.
નોઈડામાં ધારા 144 લાગુ
આગામી તહેવારો અને કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને યુપીના નોઇડામાં ધારા 144ને 30મી ઓગસ્ટ સુધી લાગુ કરવામાં આવી છે.