પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, સારસા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામા આવ્યો છે. આ લોકડાડાઉન આજથી આગામી 16 માર્ચ સુધી રખાશે લાગુ કરવામાં આવ્યું છે.
જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે દુકાનો રહેશે ખુલ્લી
લોકડાઉન દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટેની દુકાનો 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટેની છૂટ આપવામાં આવી છે. તો ખરીદી કરવા આવનારે માસ્કનો ફરજીયાતપણ ઉપયોગ કરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. આ નિર્ણય કોરોનાના વધી રહેલા કેસને લઈન લેવામાં આવ્યો છે.
મંગળવારે રાજ્યમાં નોંધાયા કોરોનાના નવા 581 કેસ
મંગળવારે કોરોનાના નવા 581 કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ વિગત પ્રમાણે, 24 કલાકમાં 453 દર્દીઓ સાજા થયાં છે. આજે કોરોનાથી અમદાવાદ તથા વડોદરામાં કોરોનાને કારણે 1-1 વ્યક્તિનં મોત થયું હોવાનું સામે આવ્યું છે. તો હાલ 43 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જો કે, વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું લાગી રહ્યું છે.
અત્યાર સુધીમાં કુલ 4418 દર્દીના કોરોનાથી થયા મોત
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,66,766 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 4418 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 3338 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ વધીને ઘટીને 97.17 ટકા થયો છે.
સુરતમાં સ્થિતિ ચિંતાજનક
ડાયમંડ નગરી ગણાતા સુરતમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં સુરત શહેરમાં 127 કેસ, ગ્રામ્યમાં 20 કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે.
મહાનગરોમાં કેસ ઘટ્યા પરંતુ, જિલ્લાઓમાં કેસ વધ્યા!
કોરોનાની શરૂઆતથી જ અમદાવાદમાં સંક્રમણ સૌથી વધુ કોરોના ફેલાયો છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. જોકે વડોદરા સિવાયના મહાનગરોમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ અન્ય જિલ્લાઓમાં કોરોનાના કેસ વધ્યા છે. અમદાવાદ શહેરમાં 123 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 127 કેસ, ગ્રામ્યમાં 20, વડોદરા શહેરમાં 81 કેસ, જ્યારે ગ્રામ્યમાં 12, રાજકોટ શહેરમાં 48 કેસ અને ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે.
16,53,705 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 16,53,705 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 3,85,709 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.