મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના મામલામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. શુક્રવારે વધુ 67 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાના અહેવાલ મળતા રાજ્યમાં કુલ 490 લોકો કોરોનોગ્રસ્ત થયાં છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શનિવારે જણાવ્યું હતું કે રાજ્યમાં લોકડાઉન 14 એપ્રિલ બાદ હટશે કે નહીં તે લોકો દ્વારા સરકારી આદેશોના પાલન પર નિર્ભર છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર
લોકડાઉન લંબાવવા અંગે મુખ્યમંત્રીનું સૂચક નિવેદન
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક અથવા રમતગમતને લગતા કાર્યક્રમોની મંજૂરી આગામી નોટિસ સુધી આપવામાં નહીં આવે, જેથી લોકો કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને અંદરોઅંદર મળવાનું બંધ ન કરે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક રીતે વિભાજન કરનાર મેસેજ કરનાર લોકોને કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી.
તબલીગી જમાતને અમે નથી આપી મંજૂરી
મુખ્યમંત્રીએ કહ્યું, 'દિલ્હીમાં જે બન્યું તેને અમે મહારાષ્ટ્રમાં થવા દીધું નહીં. આ (તબલીગી જમાતની ઘટના) ને પહેલા મહારાષ્ટ્રમાં મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ બાદમાં પરિસ્થિતિ જોઈને અમે તે પરવાનગી રદ્દ કરવામાં આવી હતી. અધિકારીઓએ આ કાર્યક્રમ માટે રાજ્યથી દિલ્હી ગયેલા લોકોને શોધી કાઢ્યા છે.
આજે કોરોનાના 43 કેસ મહારાષ્ટ્રના
સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુક્રવારે સામે આવેલ 67 કોરોનાના મામલા પૈકી 43 મુંબઇના છે. જ્યારે મુંબઇ મહાનગર ક્ષેત્રમાંથી પણ 10 મામલા સામે આવ્યા છે તો પૂણેથી 9 અને અહમદનગર જિલ્લાથી 3 મામલ સામે આવ્યા હતા.
30 હોસ્પિટલને કોરોનાના ઇલાજ માટે બનાવવામાં આવી
We didn’t let what happened in Delhi happen in Maharashtra. It(Tableeghi Jamaat event) was permitted earlier, but later looking at the situation we denied permission. Authorities now have traced all those went to the Delhi event from our state: Maharashtra CM Uddhav Thackeray pic.twitter.com/ksHktovmbO
મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારની સલાહને ધ્યાને લઇને રાજ્યમાં 30 હોસ્પિટલને ખાસ કરીને કોરોના વાયરસના દર્દીઓના ઇલાજ માટે તૈયાર કરી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, આ દવાખાનાઓમાં 2305 પથારીની વ્યવસ્થા કરવામાં આવશે.
કોરોનાનો દર છઠ્ઠો દર્દી મહારાષ્ટ્રનો
મહારાષ્ટ્ર પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે કોરોના વાયરસના 31 માર્ચ પહેલાના કેટલાક આંકડાનું તારણ કાઢ્યુ છે. જેમાં તેઓ જણાવે છે કે કેવી રીતે અલગ અલગ ઉંમરના વર્ગના લોકો આ વાયરસનો શિકાર બની રહ્યા છે.
મહારાષ્ટ્રમાં 30 માર્ચ સુધી કુલ દર્દી આવ્યા હતા. તેમાંથી 21થી 30 વર્ષના 46 દર્દી, 31થી 40 વર્ષના 47 દર્દી, 41થી 50 વર્ષના 48, 51થી 60 વર્ષના 31 દર્દી, 61થી 75 વર્ષના 25 તો 1થી 10 વર્ષના 7 દર્દીઓ હતા. જેનાથી એ સ્પષ્ટ થયું છે કે મહારાષ્ટ્રમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના તમામ ઉંમરના લોકો તેનો ભોગ બન્યા છે.