મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના મામલામાં વૃદ્ધિના કારણે વીકેન્ડ પર એટલે કે શનિવાર અને રવિવારે ઔરંગાબાગમાં પૂર્ણ લોકડાઉન લગાવી દીધું છે.
ઔરંગાબાદ જિલ્લામાં 5569 એક્ટિવ કેસ
નક્કી સમય દરમિયાન હોમ ડિલીવરી થઈ શકશે
મહારાષ્ટ્રમાં શુક્રવારે 15, 817 મામલા દાખલ કરવામાં આવ્યા છે
ઔરંગાબાદ જિલ્લામાં 5569 એક્ટિવ કેસ
ઔરંગાબાદ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણ મામલાની કુલ સંખ્યા57755 છે. જેમાં 5569 એક્ટિવ કેસ છે. એક અધિકારીઓ જણાવ્યું કે કર્ફ્યુ શનિવારે મધ્ય રાતથી શરુ થઈ સોમવાર સવારે 6 વાગ્યા સુધી ખતમ થશે. તેમણે જણાવ્યું કે જિલ્લાની નગરપાલિકા પરિષદો, નગર પંચાયતો અને આ સીમાઓની બહાર 3 કિલોમીટર વિસ્તારમાં કર્ફ્યૂ લાગૂ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે સરકારી કાર્યાલયો, મેડિકલ સ્ટોર, હોસ્પિટલો અને ઈમરજન્સી સેવાઓમાં લાગેલા વાહનોને કર્ફ્યૂમાં છુટ આપવામાં આવી છે.
આટલા વાગ્યા સુધી હોમ ડિલીવરી થઈ શકશે
તેમણે કહ્યું કે સવારના 6 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધી હોમ ડિલીવરીની પરવાનગી રહેશે. તેમણે જણાવ્યું કે કર્ફ્યૂનું ઉલંઘન કરનારા લોકોની વિરુદ્ધ કડક પગલા ભરવામાં આવશે. તેમણે જણાવ્યું કે જિલ્લામાં પૂજા સ્થળ પર 31 માર્ચ સુધી બંધ રહેશે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે 15, 817 મામલા દાખલ કરવામાં આવ્યા છે
મહારાષ્ટ્રમાં શુક્રવારે 15, 817 મામલા દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આ ગત 6 મહિનામાં એક દિવસમાં આવનારા સૌથી વધારે મામલા છે. હાલની સ્થિતિ જોતા અનેક શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં ગત વર્ષ ઓક્ટોમ્બરમાં 15 હજાર મામલા સામે આવ્યા હતા. ગત મહિને એકવાર ફરી આમાં તેજી જોવા મળી છે. બુધવારે 13, 659 પોઝિટિવ મામલા દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ગુરુવારે 14, 317 નોંધાયા હતા. રાજ્યમાં કુલ મામલાની સંખ્યા 22.82 લાખ થઈ ગઈ છે. જ્યારે મરનારાની સંખ્યા 52, 732 પહોંચી ગઈ છે. જેમાં 56 લોકોએ શુક્રવારે જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રના અનેક શહેરોની સ્થિત જોતા તે એક વાર ફરી લોકડાઉન કરવા પર મજબૂર છે.
કયા શહેરમાં કેટલા કેસ
ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં 11344 દર્દીને રજા આપવામાં આવી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 21,17,744લોકો સાજા થયા છે. 110485 દર્દીની સારવાર ચાલી રહી છે. પોઝિટિવ મામલાની વાત કરીએ તો સૌથી વધારે 1845 નવા મામવા પૂનામાં નોંધાયા છે. આ બાદ 1729 નાગપુર અને 1647 મુંબઈમાં. મુંબઈમાં કુલ મામલા 3.4 લાખને પાર થઈ ચૂક્યા છે. મરનારાની સંખ્યા 11, 523 પહોંચી ગઈ છે. નાસિકમાં કુલ મામલા 3.12 લાખ અને મરનારની સંખ્યા 5357 પહોંચી ગયા છે.
અનેક શહેરમાં લાગ્યું લોકડાઉન
ઉલ્લેખનીય છે કે નાગપુરમાં 15થી 21 માર્ચ સુધી 7 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જ્યારે પૂણેમાં નાઈટ કર્ફ્યૂ લગાવાયું છે. ઔરંગાબાદમાં વિકેન્ડ પર લગભગ ટોટલ લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. ગત મહિને અમરાવતીમાં લોકડાઉન લાગ્યું હતુ. જલગાંવમાં 11થી 15 માર્ચ સુધી જનતા કર્ફ્યૂ લગાયા છે. આ ઉપરાંત મુંબઈ, નાગપુર, પિંપરી ચિંચવાડ, નાસિક, ઔરંગાબાદ, થાણે, નવી મુંબઈ, કલ્યાણ, ડોંબિવલી, અકોલા, યવતમાલ, વાશિમ અને બુલધાનામાં મૂવમેન્ટ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.