જનતા કર્ફ્યૂના દિવસે રેલી કાઢનાર તમામ લોકો સામે ફરિયાદ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે હવે અમદાવાદના ખાડિયામાં રેલી કાઢનારા 20 લોકો સામે જાહેરનામાના ભંગની ફરિયાદ થઈ છે. પોલીસ કમિશનરે તમામ લોકો સામે ફરિયાદ કરવાના આદેશ આપ્યા છે.
ગુજરાતમાં 144નો ભંગ કરાનારને સજા
એપેડેમિક એક્ટ અંતર્ગત લેવાશે પગલા
ગઈકાલે ખાડિયામાં ભેગા થયેલા 20 લોકો સામે લીધા પગલા
મહત્વનું છે કે, શહેરમાં 144ની કલમ લાગૂ છે. આ કલમ લાગૂ થયા બાદ 4થી વધુ લોકો એક સાથે નિકળી શકતા નથી. ત્યારે જનતા કર્ફ્યૂના દિવસે રાષ્ટ્ર રક્ષકોને વધાવવાના નામે અનેક વિસ્તારોમાં લોકો રેલી કાઢી હતી. જેના સોશિયલ મીડિયામાં વીડિયા વાયરલ થયા હતા. ત્યારે હવે પોલીસે વીડિયોના આધારે તમામ લોકો સામે ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથધરી છે
અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં કર્મવીરોના અભિવાદન માટે લોકો ઉમટ્યાં હતા. મોટી સંખ્યામાં લોકો થાળી અને ઢોલ લઇને ઘરની બહાર નીકળ્યાં હતા. એક સાથે મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને છૂટા પડવા સૂચના આપી હતી. હાલ ખાડિયામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ગુજરાતમાં ગઈકાલે જનતાકર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો
ગઈકાલે જનતાકર્ફ્યુ જાહેર કરાયો હતો જેમાં પાંચ વાગે થાળી ખખળાવીને લોકોનું અભિવાદન કરવાનું હતુ અને તમામ લોકોએ ઘરમાં આઈસોલેટ થવાનું હતુ જેનાથી કોરોનાની 14 દિવસની ચેનને બ્રેક કરી શકાય. પરંતુ કેટલાક લોકોએ સાંજે ટોળે ટોળા એકઠા થઈને કોરોનાની ચેનને તોડવાને બદલે ભેગા થઈને કોરોનાનો બ્રિજ બાંધી દીધો હતો. આ મામલે પોલીસે લાલ આંખ કરી છે.