મોરબીમાં કોરોના વકરતાં ગામજનોએ 10 દિવસનું આંશિક લોકડાઉન જાહેર કર્યુ છે. આવો જાણીએ શું રહેશે ખુલ્લુ અને શું બંધ
મોરબીના ડાયમંડનગર ગામે આંશિક લોકડાઉન
ડાયમંડનગર ગામે 10 દિવસ આંશિક લોકડાઉન
પાન-ગલ્લા સવારે 7 થી 9 અને બપોરે 12 થી 2 ખુલ્લા રહેશે
કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેના પગલે મોરબીના ડાયમંડનગર ગામે આંશિક લોકડાઉન કરાયું છે. ડાયમંડનગર ગામે 10 દિવસ આંશિક લોકડાઉનનો નિર્ણય ગામજનોએ સ્વૈચ્છિક રીત લીધો છે. પાન-ગલ્લા સવારે 7 થી 9 અને બપોરે 12 થી 2 તેમજ કરિયાણાની દુકાનો સવારે 7 થી 10 અને સાંજે 4 થી 6 ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો છે. તેમજ ગામમાં 4 વ્યક્તિઓએ ભેગા થવા પ્રતિબંધ મુકાયો છે.
રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ
રાજ્ય સરકારે આજે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1364 નવા કેસ સાથે કુલ આંક 1,17,709 પર પહોંચ્યો છે. તો આજે 1,447 દર્દીઓ સાજા થતા રાજ્યમાં કુલ 98,156 દર્દીઓ સાજા થયા છે. આજે સંક્રમણથી 12 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3259 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 35,23,653 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16294 છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા