દેશ કોરોના મહામારીના સંકટથી પસાર થઇ રહ્યો છે. કોરોનાનો પ્રકોપને રોકવા માટે દેશમાં લૉકડાઉન લગાવામાં આવ્યું છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે કેટલાય આદેશ અને દિશાનિર્દેશ જાહેર કર્યા છે. 'ધ હિન્દુ' ની એક રિપોર્ટ મુજબ 68 દિવસોના અત્યાર સુધીના લૉકડાઉનમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પ્રતિ દિન સરેરાશ 1.3 આદેશ જાહેર કર્યા છે.
એમએચએ દ્વારા રાજ્યોને લૉકડાઉનથી સંબંધિત 94 આદેશ, દિશાનિર્દેશ અને પત્ર જાહેર કર્યા છે
30 જૂન, 2020 સુધી કન્ટેનમેન્ટ ઝોન્સમાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન વધારવામાં આવ્યું છે
એમએચએ દ્વારા રાજ્યોને લૉકડાઉનથી સંબંધિત 94 આદેશ, દિશાનિર્દેશ અને પત્ર જાહેર કર્યા છે. આ તમામ આદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ 2005 હેઠળ જાહેર કરાયા છે. 2004માં સુનામી બાદ આ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરાયો હતો અને 16 વર્ષમાં આ પહેલીવાર લાગૂ થયો છે. એમએચએને નોડલ મંત્રાલય માનતા આ અધિનિયમે પહેલીવાર દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે એક કાયદાકીય ડ્રાફ્ટ પણ રજૂ કર્યો.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ હેઠળ, રાજ્ય અને જિલ્લા તંત્ર એમએચએ દ્વારા જારી દિશાનિર્દેશોને આધાર બનાવીને પોતાના નિયમ બનાવી શકે છે. શનિવારે એમએચએએ 24 માર્ચે લગાવેલા મોટાભાગના પ્રતિબંધોને હટાવનારા દિશાનિર્દેશોનો એક સેટ જાહેર કર્યો. જ્યારે 30 જૂન, 2020 સુધી કન્ટેનમેન્ટ ઝોન્સમાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન વધારવામાં આવ્યું છે.
નવા દિશાનિર્દેશો અનુસાર 8 જૂનથી શોપિંગ મોલ ખોલવાની મંજૂરી હશે. 8 જૂનથી જે ગતિવિધિઓને મંજૂરી અપાશે તેમા લોકો માટે ધાર્મિક સ્થળ, હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય હોટેલ સેવાઓ સામેલ હશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે વિચાર કર્યા બાદ સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક, પ્રશિક્ષણ, કોચિંગ સંસ્થા ખોલવામાં આવશે.