કોરોનાના કારણે દિલ્હીમાં ફરી વધ્યું લોકડાઉન, સીએમ કેજરીવાલે કરી 31મી મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત
દિલ્હીમાં ફરી લંબાવવામાં આવ્યું લોકડાઉન
સીએમ કેજરીવાલે કરી લોકડાઉન વધારવાની જાહેરાત
31મી મે સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે નવું લોકડાઉન
દેશમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. દેશમાં દરરોજના 3 લાખથી ઉપર નવા કોરોના સંક્રમણના કેસ આવી રહ્યા છે. એવામાં દેશની રાજધાની દિલ્હીની હાલત વધારે ગંભીર છે. વધતા કોરોના કેસના પગલે દિલ્હીમાં પાછલા 1 મહિનાથી પણ વધારે સમથી લાકડાઉન લગાવવામાં આવ્યું છે. જે હજુ પણ 31મી મે સુધી લંબાવવામાં આવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે આ લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. આ લોકડાઉન 31મી મે સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે.
If #COVID19 cases continue to decrease, we will begin to unlock Delhi in a phased manner from May 31: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/6958dz9hrN
આ ઉપરાંત સીએમ કેજરીવાલે જણાવ્યું હતું કે જો દિલ્હીમાં કોરોનાના નવા કેસોમાં આ રીતે જ ઘટાડો જોવા મળ્યો તો અમે 31મી મેથી તબક્કાવાર દિલ્હીમાં અનલોક કરવાનું શરૂ કરવામાં આવશે. કોરોના વેક્સિનેસન વિષે વાત કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે એવી સંભાવના છે કે જો દરેક વ્યક્તિને રસી આપવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેરને કોરી શકાશે.
There is a possibility that the third wave won't hit if everyone is vaccinated. We are planning to vaccinate everyone as soon as possible. I'm in talks with domestic & foreign companies regarding vaccines. We're ready to spend from our budget: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/v4LxXFdOqs
અમે શક્ય તેટલી જલ્દી દરેક લોકોને વેક્સીન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે હું રસીઓને લગતી દેશી અને વિદેશી કંપનીઓ સાથે વાતચીત કરું છું. અમે અમારા બજેટમાંથી ખર્ચ કરવા તૈયાર છીએ. મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 1,600 નવા કોરોનાના કેસો નોંધાયા છે.
The positivity rate has come to 2.5% in Delhi. 1,600 new #COVID19 cases reported in Delhi in the last 24 hours: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/pEsFMg5Qb6
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.40 લાખથી વધુ નવા કોરોનાના કેસો સામે આવ્યા છે. ત્યાં જ 3741 કોરોના દર્દીઓના મોત થયા છે. દેશમાં પાછલા થોડા સમથી પોઝિટીવ રેટની તુલનામાં રિકવરી રેટ વધી રહ્યો છે. પરંતુ કોરોનાથી મોતની સંખ્યામાં કોઈ ઘટાડો જોવા નથી મળી રહ્યો. આવા સમયે પાછલા 24 કલાકમાં 3,55,102 લોકો ડિસ્ચાર્જ પણ થયા છે.