ગુજરાતમાં કોરોના વાયરસના પગલે જાહેર કરવામાં આવેલા લોકડાઉનને લઇને રાજ્યની જનતા સહિત ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત APMC એક્ટમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે રાજ્ય સરકારે એક્ટમાં સુધારા સાતે જાહેરનામું બહાર પાડ્યું છે.
ગુજરાત APMC એક્ટમાં ખેડૂતોના હિતમાં સરકારનો નિર્ણય
સરકારે એક્ટમાં સુધારા સાથે જાહેરનામું પાડ્યુ બહાર
ખેડૂતો સીધા પોતાની ઉપજ એગ્રો ઇન્ડ.ને વહેચી શકશે
રાજ્ય સરકારે ગુજરાત APMC એક્ટમાં ખેડૂતોના હિતમાં સરકારે નિર્ણય લીધો છે. આ સાથે સરકારે એક્ટમાં સુધારાની સાતે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ખેડૂતો સીધા પોતાની ઉપજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝને વહેંચી શકશે.
રાજ્યમાં કોરોના વાયરસના પગલે જાહેર કરાયેલા લોકડાઉનમાં ખેડૂતોના હિતને લઇને રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. રાજ્યમાં લોકડાઉનના પગલે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવામાં આવે માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવતો હોય છે.
આમ સરકારે એક્ટમાં કરેલા સુધારાને લઇને ખેડૂતો હવે તેનો માલ સીધા જ મોટા જથ્થાબંધ વિક્રેતાઓને શકશે. આ અગાઉ APMC એક્ટમાં સુધારાને લઇને ખેડૂત આગેવાનો અને કોંગ્રેસે પણ આ અંગેની માગ કરી હતી. જેમાં હોલસેલર-એગ્રો ઇન્ડસ્ટ્રિઝને હરાજીમાં સીધું જોડાવાની માગ હતી.