દેશભરમાં અક્ષય તૃતીયાના પર્વને સૌભાગ્ય અને સમૃદ્ધિના તહેવાર તરીકે હર્ષભેર અને ઉલ્લાસ સાથે મનાવામાં આવે છે. એક માન્યતા મુજબ આ દિવસે સોનું અથવા જ્વેલરી ખરીદવાથી ઘરમાં ખુશહાલી આવે છે. આ જ કારણ છે કે ધનતેરસની જેમ અક્ષય તૃતીયાના દિવસે ભારતમાં સોનાનું ઘણું ખરીદવામાં આવે છે અને વેચાણ થાય છે.
અક્ષય તૃતીયાના દિવસે લોકોએ ફોન અને વ્હોટસએપ પર કરી ખરીદી
લોકડાઉન પુરુ થયા બાદ સોનાની થશે ડિલિવરી
રવિવારે એટલે ગઇ કાલે અક્ષય તૃતીયાના દિવસે દેશભરમાં લોકડાઉનના કારણે પરંપરાગત રીતે સોનાનો જે વેપાર થવો જોઇએ તે થયો નહી. દેશમાં સોના અને જ્વેલરીનું દુકાનો બંધ હતી, તેમ છતાં અનેક જગ્યાઓ પર ઓનલાઇનના માધ્યમથી તહેવારના શગૂન તરીકે થોડો ઘણો વેપાર જોવા મળ્યો. જેમાં લોકોએ વોટસએપ દ્વારા સોનું અને જ્વેલરીની ખરીદી કરી.
કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા (કેટ) ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીન ખંડેલવાલ અને દેશભરના જ્વેલરી વેપારીઓના પ્રમુખ સંગઠન ઓલ ઇંડિયા જ્વેલર્સ તેમજ ગોલ્ડસ્મિથ ફેડરેશનના રાષ્ટ્રીય સંયોજક પંજક અરોડાએ જણાવ્યું કે અક્ષય તૃતીયાના અવસર પર દેશમાં એક અનુમાન મુજ 600 કરોડ રૂપિયાના સોનાનો વેપાર થયો હોવાનો અંદાજ છે.
પંકજ અરોડાએ જણાવ્યું કે રવિવારે દેશભરમાં લોકોએ જ્વેલર્સને ફોન કરી અથવા વ્હોટસએપ દ્વારા સોનાની જ્વેલરીનું બુકિંગ કરાવ્યું. આ દરમિયાન લોકોએ જ્વેલરીની ખરીદીની 20 ટકા રકમ એડવાન્સ ડિજિટલ માધ્યમથી ચુકવવી દીધી. સોનાના ઝવેરાત અને સિક્કાની બુકિંગ રવિવારના ભાવ પરથી કરવામાં આવી, પરંતુ ઝવેરાતની ડિલિવરી 3 મે બાદ લોકડાઉન પુરી થયા બાદ કરવામાં આવશે.