કેન્દ્ર સરકાર ને બે પેનલોએ 31 મે પછી લોકડાઉન નહીં વધારવા અંગે સુચન કર્યું છે. પેનલ્સ દ્વારા જણાવાયું છે કે આ સમય હવે અર્થવ્યવસ્થાને ગતિ આપવાનો છે. કોરોના સંકટમાં મેડિકલ ઇમર્જન્સી, હોસ્પિટલોની ઉપલબ્ધતા, આઇસોલેશન જેવી વ્યવસ્થાઓને સંભાળવા માટે બની પેનલ્સે પોતાનો રિપોર્ટમાં કહ્યું છે કે લોકડાઉનને વધારવાની જરૂરિયાત નથી.
લોકડાઉન 4.0થી બહાર નિકળવાની રણનીતિને લઇને સોંપવામાં આવેલા રિપોર્ટમાં પેનલ્સે કહ્યું કે કન્ટેનમેન્ટ ઝોનમાં કડક અમલ બની રહેવો જોઇએ. આવા વિસ્તારોમાં બીજા નવા નિયમો પણ લાગુ કરી શકાય છે, પરંતુ જ્યાં કોરોનાના સંક્રમણના કેસો ઓછા છે, તેમને હવે લોકડાઉનમાંથી મુક્તિ આપવી જોઇએ.
પેનલોએ સ્કૂલ, કોલેજ, સિનેમાઘરો અને ધાર્મિક સ્થળોને આગળ પણ બંધ રાખવાની સલાહ આફી છે. એક રિપોર્ટ મુજબ ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ કરવાનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો નથી.
સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યાં મુજબ કોરોનાન વધતા કેસ ચિંતાનું કારણ છે, પરંતુ આ મહામારીની અર્થવ્યવસ્થા પર અસરની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. માર્ચ મહીનામાં ગૃહ મંત્રાલયે 11 સમૂહોનું ગઠન કર્યું હતું. આ કમિટિઓને કોરોના સાથે જોડાયેલા સુચનો અને લાગુ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
જેમાં એક ગૃપ મેડિકલ ઇમર્જન્સી માટે બનાવામાં આવ્યું હતું, જેની અધ્યક્ષતા નીતિ આયોગના સભ્ય વિનોદ પોલ કરી રહ્યાં છે. આ સિવાય પર્યાવરણ સચિવ સીકે મિશ્રાને હોસ્પિટલોની ઉપલબ્ધતા, આઇસોલેશન, ક્વોરોન્ટાઇન ફેસેલિટી માટે બનેલા પેનલની અધ્યક્ષતા સોંપવામાં આવી છે.
આ 11 કમિટિઓમાંથી એક ગ્રુપના સભ્યએ જણાવ્યું કે હવે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવાની જરૂરિયાત નથી. જો કે એવા વિસ્તારો છે જ્યાં ઝડપથી કેસોની સંખ્યા વધી રહી છે, તેને કન્ટેનમેન્ટ ઝોન રાખી કડકથી અમલ કરવામાં આવે. જ્યારે એક અન્ય ગ્રુપના સભ્યએ કહ્યું કે પશ્ચિમી દેશોએ લોકડાઉન કરવામાં મોડુ કર્યું હોવાથી તેઓને મોટું નુકસાન ઉઠાવું પડ્યું હતું. તેઓનો મૃત્યુદર પણ વધારે રહ્યો અને આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું.