લોકડાઉન ખતમ થવાનો સમયગાળો જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ લોકો એક જ સવાલ પૂછી રહ્યા છે કે, 14 એપ્રિલ બાદ શું થશે? શું લોકડાઉન ખતમ થઇ જશે કે, સમયગાળો હજી વધશે. અથવા કેટલાક વિસ્તારોમાં લોકડાઉનથી છૂટકારો મળશે. ભારતમાં હજી કોરોના વાયરસનો ચેપ અટકવવા માટે 1 અરબથી વધારે લોકો લોકડાઉનના દાયરામાં છે જો કે, તેના કારણે અર્થવ્યવસ્થાને ગંભીર નુકસાન થઇ રહ્યું છે.
કોરોના વાયરસે મચાવ્યો કહેર
અર્થવ્યવસ્થાને 250 બિલિયન ડોલરનું થઇ શકે નુકસાન
સરકાર તરફથી સંકેત આપવામાં આવ્યો છે કે 14 એપ્રિલ બાદ એક જ સમયમાં દેશમાંથી લોકડાઉન હટાવવામાં આવશે નહીં. પ્રધાનમંત્રીના નિવાસસ્થાન, કેબિનેટની બેઠક, રાજ્ય સરકારોની બેઠકથી જે સંકેતો મળી રહ્યા છે તે દર્શાવે છે કે દેશમાં ક્રમશ: રીતે લોકડાઉનને દૂર કરવામાં આવી શકે છે. આ માટે ટાઇમલાઇન તૈયાર કરવામાં આવશે, જેની ઘોષણા હજુ બાકી છે.
લોકડાઉનને કારણે અર્થવ્યવસ્થાને 250 બિલિયન ડોલરનું થઇ શકે નુકસાન
સરકારનું માનવું છે કે, લોકડાઉનને કારણે કોરોના વાયરસને કંટ્રોલ કરવામાં ખૂબ સરળતા રહી છે પરંતુ લોકડાઉનને કારણે અર્થવ્યવસ્થાને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. નાણામંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતની દૈનિક GDP લગભગ 8 બિલિયન ડોલર છે. જો લોકડાઉન 30 દિવસ સુધી રહે તો 250 બિલિયન ડોલરનું નુકસાન થઇ શકે છે.
કલ્યાણકારી યોજનાઓની રાજ્યો પર અસર
લોકડાઉનને કારણે રાજ્યોને મોટું નાણાકીય નુકસાન થઇ રહ્યું છે. આ સિવાય લોકડાઉનના પ્રભાવમાં આવેલા લોકો માટે શરૂ કરવામાં આવેલ કલ્યાણકારી યોજનાને કારણે પણ નુકસાન થઇ શકે છે.
આંતરરાજ્ય પરિવહનના પક્ષમાં નથી રાજ્ય
કોરોનાના સંક્રમણને જોતા કેટલાય રાજ્યોમાં હજી પણ એક-બીજા રાજ્યોમાં પરિવહન વ્યવસ્થા શરૂ કરવાના પક્ષમાં નથી. માટે બસોના સંચલનની સંભાવના ઓછી છે. ટ્રેનની વાત કરીએ તો જ્યાં સુધી રાજ્ય મંજૂરી નથી આપતા ત્યાં સુધી ટ્રેનનું સંચલન શક્ય નથી.
કેન્દ્રીય કર્મચારીઓનું રોસ્ટર તૈયાર કરી રહી છે મોદી સરકાર
કેન્દ્ર સરકાર પોતોના કર્મચારીઓની ડ્યૂટીનું રોસ્ટર તૈયાર કરી રહી છે. તેનાથી સંકત મળે છે કે, લોકડાઉન સંપૂર્ણ રીતે ખતમ કરવામાં નહીં આવે.