હાલ કોરોના વાયરસને અટકાવવા કરાયેલા લોકડાઉનમાં ખેડૂતોની હાલત વધારે કફોડી બની છે. ખેડૂતોનો કેળા, પપૈયા અને તરબુચનો પાક તૈયાર છે, પરંતુ ખરીદદાર ન હોવાથી ખેડૂતોને પાણીના ભાવે તૈયાર માલ વેચવાનો વખત આવ્યો છે.
શાકભાજીના બમણા ભાવ
ફ્રૂટના ભાવો શાકભાજી કરતા અડધા ભાવ
લોકડાઉનના કારણે કોઇ વેપારી ખરીદવા માટે આવવા તૈયાર નથી
બીજી તરફ શાકભાજીના બમણા ભાવ વસુલાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. બીજી તરફ ફ્રૂટના ભાવો શાકભાજી કરતા અડધા ભાવમાં મળી રહ્યા હોવાથી ગૃહિણીઓને રાહત મળી હતી. લોકડાઉનની આડઅસર ખાસ કરીને અનાજના જથ્થા પર પડી રહી છે, હોલસેલરો પાસે અનાજનો જથ્થો ઘટી રહ્યો છે. ત્યારે દાળના ભાવમાં 10 ટકા સુધીનો વધારો આવ્યો છે.
કેળા, પપૈયા અને તરબુચનો મબલખ પાક થયો છે. ખેતરમાં પાક તૈયાર છે. પરંતુ લોકડાઉનના કારણે કોઇ વેપારી ખરીદવા માટે આવવા તૈયાર નથી. જો કોઇ આવે તો તેઓ પાણીના ભાવે ફ્રૂટ માંગી રહ્યા છે.
આવી જ સ્થિતી કેળામાં છે. 20 કિલો કેળા માત્ર રૂ. 60થી 100ના ભાવે વેચાઈ રહ્યા છે. જે કેળા છૂટક બજારમાં રૂ.25થી 30ના ભાવે પ્રતિ કિલો વેચાય છે. તરબુચ તૈયાર છે પરંતુ કોઇ ખરીદવા તૈયાર ન હોવાથી ખેડૂતો મફતના ભાવે તે વેચી રહ્યા છે. ખેડૂતોને તૈયાર માલ ફેંકી દેવાનો વખત આવે તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
કોઈપણ શાકભાજી છેલ્લા બે દિવસથી રૂ. 30નું 250 ગ્રામ એટલેકે 120 થી 140 સુધીના ભાવે વેચાણ થઇ રહ્યું છે લીંબુના ભાવ આસમાને છે લીંબુ 120થી 140 ભાવે વેચાઈ રહ્યા છે તો ટામેટા અને ચીકુનો ભાવ એક સરખો રૂ 40 પ્રતિ કિલો છે દ્રાક્ષ રૂ 40 થી રૂ 70 પ્રતિકિલો વેચાઈ રહી છે જેના પ્રમાણમાં શાકના ભાવ બમણા છે. ટેટી, તરબૂચ અને પપૈયા, ઓરેન્જ વિગેરે રૂ. 20થી 50ના ભાવે પ્રતિકિલો વેચાણ થઇ રહ્યું છે. આમ હવે શાકભાજીના અડધા ભાવે ફ્રૂટ બજારમાં મળી રહ્યા છે.
લોકડાઉનમાં રહેલા લાખો લોકોને પાલિકા તથા સ્વયં સેવી સંસ્થાઓ દ્વારા બે ટંકનું ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે અનાજની ખપત વધી છે તેની સામે હોલસેલર પાસે 50 ટકા જેટલો જ જથ્થો આવતો હોવાથી ગોદામોમાં હવે 30થી 40 ટકા જેટલો જ જથ્થો બચ્યો છે, તો બીજી તરફ દાળના ભાવમાં 10 ટકા જેટલો વધારો થયો છે.