દિલ્હીના પશ્ચિમપુરી વિસ્તારમાં એક અજીબ ઘટના સામે આવી છે. લૉકડાઉનમાં કામ બંધ થયું તો એક યુવકે ભગવાન પર ગુસ્સો ઉતાર્યો હતો.
કોરોનાના કહેરના કારણે લાગ્યું હતું લૉકડાઉન
લૉકડાઉનમાં કામ બંધ થયું તો ભગવાન પર ઉતાર્યો ગુસ્સો
દિલ્હીના પશ્ચિમપુરી વિસ્તારમાં એક યુવકે મંદિરમાં કરી તોડફોડ
પશ્ચિમપુરી વિસ્તારમાં એક યુવકે મંદિરમાં રાખેલી મૂર્તિઓને એટલા માટે નિશાન બનાવી કારણ કે લૉકડાઉન દરમિયાન તેનું કામ બંધ થયું હતું હતું અને તે આર્થિક રીતે તમામ પડકારોનો સામનો કરી રહ્યો હતો.
પોલીસના અનુસાર, આજ સવારે અંદાજિત 9 વાગ્યે પશ્ચિમપુરીના માતા વૈષ્ણો મંદિરના પુજારી રામ પાઠક મંદિર આવ્યા તો તેમણે જોયું કે મંદિરના ખુલ્લા ભાગમાં રાખેલી ભગવાન શિવની 2 મૂર્તિયો પોતાની જગ્યા પર નહોતી. આ સિવાય કેટલીક અન્ય મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત જોવા મળી હતી. મંદિરના પ્રાંગણમાં ઈંટ અને પથ્થર વિખેરાયેલા હતા. પુજારીએ આ માહિતી પોલીસને આપી. રામ પાઠકના જણાવ્યા અનુસાર, રાત્રે જ્યારે તેઓ મંદિરથી બહાર નિકળ્યા હતા ત્યાં સુધી તમામ વસ્તુઓ વ્યવસ્થિત હતી.
પુજારીની ફરિયાદ પર પોલીસે કેસની તપાસ શરૂ કરી તો જણાયું કે 28 વર્ષના વિક્કીનો આ ઘટનામાં હાથ છે. પોલીસે તેને કસ્ટડિમાં લઇને પૂછપરછ કરી તો આરોપીએ જણાવ્યું કે, લૉકડાઉનમાં પહેલા તેનું કબાડીનું કામ બંધ થયું હતું તો ત્યારે તેણે ભગવાનને કહ્યું હતું કે તે મને ભિખારી બનાવી દીધો જેનો બદલો જરૂર લઇશ. એટલે મેં મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું.
કોરોનાના કહેરને લઇને સરકારે 2 મહિના સુધી દેશમાં પૂર્ણ લૉકડાઉન લગાવ્યું હતું. જેની સૌથી વધુ અસર દહાડી મજૂરો પર પડી હતી. તેવામાં હવે ફરી એક વખત પરિસ્થિતિ અનિતંત્રિત થઇ રહી છે, તેવામાં મજૂરોના માથા પર ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાવા લાગી છે.