દેશભરમાં છેલ્લા 24 કલાકમાં, કોરોના ચેપને કારણે 1,501 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમજ 2 લાખ 61 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે.
દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
સતત કોરોના કેસોના કારણે રાજ્યોની ચિંતા વધી
આજે પણ નોંધાયા રેકોર્ડબ્રેક કોરોના કેસ
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં, કોરોના સંક્રમણના કારણે 1,501 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમજ 2 લાખ 61 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ બધાની ઘણા રાજ્યો હાલમાં કોરોના નિયંત્રણ માટે સ્થાનિક લોકડાઉન, નાઈટ કર્ફ્યૂ, વીકેન્ડ કર્ફ્યૂ જેવા પ્રતિબંધો લગાડી રહ્યા છે, જો કે આના વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને અમુક નિર્દેશો આપ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે લોકડાઉન અને કર્ફ્યુ અંગે રવિવારે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખ્યો છે. પત્રમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે કોરોના ચેપને રોકવા માટે તેમના વતી લગાવેલા પ્રતિબંધોને લીધે રસીકરણ અભિયાનની કોઈ અસર ન થવી જોઈએ, અને રસીકરણ અભિયાનની કામગીરી પહેલાની જેમ જ ચાલતી રહેવી જોઈએ, તેવા નિર્દેશો આપ્યા છે.
આ પત્રમાં વધુમાં જણાવાયું છે કે લોકડાઉન, કર્ફ્યૂ અથવા અન્ય કોઈ પ્રતિબંધોને લીધે લોકોને રસીકરણ કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ તકલીફ ન હોવી જોઇએ. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ રસીકરણ કેન્દ્ર વાળી હોસ્પિટલો લોકોની રસી પહેલાની જેમ ચાલુ રાખશે. મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, આ હોસ્પિટલોમાં બિલ્ડિંગ બ્લોકથી અલગ, જ્યાં કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવે છે તેનાથી અલગ, રસીકરણ સેવાઓ પૂરી પાડવી જોઈએ.
કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 1501ના મોત
મહત્વનું છે કે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં, કોરોના ચેપને કારણે 1,501 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત 2 લાખ 61 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે, જે પાછલા દિવસના 2.34 લાખ કરતા લગભગ 11.5 ટકા વધારે છે. સક્રિય કેસની કુલ સંખ્યા 18,01,316 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,28,09,643 છે.
બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે ભારતે વિશ્વમાં 92 દિવસમાં સૌથી ઝડપથી 12 કરોડનું રસીકરણ કર્યું છે. એકલા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં કોરોનાવાયરસ રસીના એક કરોડથી વધુ ડોઝ અપાયા છે. કોરોના રોગચાળાની આ બીજી તરંગ હવે નાના બાળકો માટે વધુ જોખમી સાબિત થઈ રહી છે. દેશના 5 રાજ્યોમાં 80 હજારથી વધુ બાળકો કોરોના ચેપગ્રસ્ત થયા છે.