રાજ્યભરમાં આજથી શરતો સાથે લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલી જાહેરાત મુજબ કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન માટે અલગ-અલગ નિયમ બનાવામાં આવ્યાં છે. આ સાથે રાજ્યમાં અમદાવાદ અને સુરત સિવાયના વિસ્તારમાં મહત્તમ છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ પશ્ચિમમાં કન્ટેનમેન્ટ ઝોન બહાર છૂટછાટો તેમજ પૂર્વ વિસ્તારોમાં કોઇ જ છૂટછાટ આપવામાં નહીં આવી.
અમદાવાદ પશ્ચિમમાં કન્ટેનમેન્ટ ઝોન બહાર છૂટછાટો લાગૂ થશે
અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં કોઈ જ છૂટછાટ નહીં
કોટ વિસ્તારમાં કેસ વધુ હોવાથી નહીં મળે કોઈ છૂટછાટ
રાજ્યમાં આજથી લોકડાઉન 4.0 નો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં કન્ટેનમેન્ટ ઝોન તેમજ નોન કન્ટેનમેન્ટ ઝોનમાં શરતોને આધિન છૂટછાટ મળશે. શહેરના પશ્ચિમમાં કન્ટેનમેન્ટ ઝોન બહાર છૂટછાટો લાગુ તેમજ પૂર્વ વિસ્તારોમાં કોઇ જ છૂટછાટ આપવામાં આવી નથી.
શહરેના કોટ વિસ્તારમાં કેસ વધુ હોવાથી કોઇ છૂટછાટ નહીં મળે. અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં આર્થિક ગતિવિધીઓ ચાલુ રહેશે. રાજ્યમાં બસ સેવા ચાલુ થશે પણ અમદાવાદમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. અમદાવાદ શહેરના નોન કન્ટેનમેન્ટ ઝોનમાં સવારે 8થી બપોરે 4 સુધી દુકાનો ખુલી શકશે.
પૂર્વ ઝોનઃ ગોમતીપુર, ભાઇપુરા, અમરાઇવાડી, વિરાટનગર, ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ