કોરોના વાયરસના સંકટને જોતા દેશમાં 21 દિવસ માટે લોકડાઉન લગાવવામાં આવ્યું છે. એટલે આ આગામી 14 એપ્રિલ સુધી લાગૂ રહેશે. તેવામાં આ પ્રકારે સવાલ ઉઠી રહ્યા છે કે 14 એપ્રિલ બાદ પણ લૉકડાઉન (Lockdown) ચાલુ રહેશે. જેને લઇને હવે સરકાર તરફથી રિએક્શન આવ્યું છે. કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે જવાબ આપ્યો.
કોરોના સંકટને જોતા દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન
હજુ પણ સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે
શું 14 એપ્રિલ બાદ પણ લૉકડાઉન (Lockdown) ચાલુ રહેશે ?
પ્રકાશ જાવડેકરે કહ્યું કે અમે દરેક મિનિટે દુનિયાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. રાષ્ટ્રહિતમાં નિર્ણય લેવામાં આવશે. યોગ્ય સમય આવશે ત્યારે આના પર નિર્ણય લેવામાં આવશે અને તમને લોકોને માહિતી આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે અધિકારીઓ કેટલાક સમૂહ સ્થિતિ આંકલન કરી રહ્યા છે.
જણાવી દઇએ કે કેબિનેટ બેઠકમાં કેટલાક નિર્ણયો લેવાયા જેની માહિતી પ્રકાશ જાવડેકરે આપી. આ બેઠકમાં એ પણ નિર્ણય લેવાયો કે દેશમાં ચાલી રહેલ કોરોના સંકટને જોતા રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને તમામ સાંસદ એક વર્ષ સુધી પોતાના વેતનમાં 30% સુધી કાપ મૂકશે. આ સિવાય સાંસદ નિધિ પણ 2 વર્ષ માટે ટાળી દીધી છે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે સાંસદ નિધિના પૈસા પણ કોરોના વિરૂદ્ધ લડાઈમાં ખર્ચ કરવામાં આવશે. જાવડેકરે જણાવ્યું કે 1 એપ્રિલ 2020થી આ નિર્ણય લાગૂ થશે.
જણાવી દઇએ દેશમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો. દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર દર્દીઓની સંખ્યાએ ચાર હજારનો આંકડો પાર કરી લીધો છે. ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 109 લોકોના મોત થઇ ચૂક્યા છે અને 4067 આના સંક્રમણના શિકાર થયા છે. ત્યારે ઠીક થનારા દર્દીઓની સંખ્યા 232 છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન 32 લોકોના મોત થયા છે અને 693 નવા કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના વધતા કેસને જોતા દેશમાં 21 દિવસ માટે લોકડાઉન ચાલી રહ્યું છે જે 14 એપ્રિલ સુધી ચાલશે.